Publish Date: Mon, 20 Apr 2026 (17:22 IST)
Updated Date: Mon, 20 Apr 2026 (17:33 IST)
છત્તીસગઢના જશપુર જીલ્લામાં સોમવારે એક મોટી વિમાન દુર્ઘટના થઈ ગઈ. આરા પર્વત સાથે અથડાઈને એક વિમાન ક્રેશ થઈ ગયુ. આ દર્દનાક દુર્ઘટનામાં વિમાનના પાયલટ અને કો-પાયલટના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં અન્ય કોઈ મુસાફર હાજર હતા કે તેની હજુ સુધી માહિતી મળી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાર્ટર્ડ પ્લેન આરા પર્વતો ઉપર ઉડતું હતું ત્યારે તે પર્વતની ટોચ સાથે અથડાયું. ટક્કર બાદ વિમાન ટુકડા થઈ ગયું. ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઘટનાસ્થળનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.
અકસ્માતના સમાચાર મળતાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને એસએસપી લાલ ઉમ્મેદ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા. વહીવટી અધિકારીઓની હાજરીમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
હવામાં સાડા ત્રણ કલાક સુધી ફસાયેલી રહી ફ્લાય91 ફ્લાઇટ
અન્ય સમાચારમાં, તેલંગાણાના હૈદરાબાદથી કર્ણાટકના હુબલી જતી પ્રાદેશિક એરલાઇન ફ્લાય91ની ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે બેંગલુરુ વળાવવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. રવિવારે સાડા ત્રણ કલાક સુધી વિમાન ઉડાન ભર્યા બાદ મુસાફરો ગભરાઈ ગયા હતા, કેટલાક રડતા હતા અને ખુદની સલામતી માટે પ્રાર્થના કરતા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે હૈદરાબાદથી બપોરે લગભગ 3 વાગ્યે ઉપડેલી અને લગભગ 4:30 વાગ્યે હુબલી પહોંચવાની હતી તે ફ્લાઇટ પ્રતિકૂળ હવામાનને કારણે ઉતરાણ કરી શકી ન હતી.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે....
વધુ વાંચો