Webdunia - Bharat's app for daily news and videos

Install App

#MeToo પર પહેલીવાર બોલ્યા શાહ, એમ જે અકબર વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ થવી જોઈએ

Webdunia
શનિવાર, 13 ઑક્ટોબર 2018 (10:18 IST)
. કેન્દ્રીય મંત્રી અને વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબર પર યૌન શોષણના આરોપોનો મામલો હવે વધુ વેગ પકડતો દેખાય રહ્યો છે. હવે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનુ કહેવુ છે કે વિદેશ રાજ્યમંત્રી પર લાગેલા આરોપોની તપાસ થવી જોઈએ. તેમણે એક ચેનલ પર આપેલ ઈંટરવ્યુમાં આ વાત કહી. શાહના નિવેદનને એ માટે પણ મહત્વનુ માનવામાં આવી રહ્યુ છે કે મીટૂ આંદોલન પછી વિવાદમા ઘેરાયેલા એમ જે અકબર પર બીજેપીના પાર્ટી પ્રમુખ તરફથી આ પહેલી પ્રતિક્રિયા છે. 
 
 
અમિત શાહે કહ્યું છે કે, એ જોવું પડશે કે સાચું છે કે ખોટું. એ વ્યક્તિની પોસ્ટની હકીકત તપાસવામાં આવશે, જેને આવા આરોપો લગાવ્યા છે. આવી જ રીતે મારા નામનો ઉપયોગ કરીને પણ લખવામાં આવી શકે છે. અકબર વિરૂદ્ધ તપાસ મામલે તેમણે કહ્યું હતું કે, જરૂર વિચારીશું. શાહે કહ્યું હતું કે, કોઈ પણ અસત્યાપિત આરોપો આરોપો લાગવવા માટેનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોઈ શકે છે. જોકે એનાથી એ પણ સાબીત થાય છે કે, અકબર પર લગાવવામાં આવેલા આરોપો બાદ નકારાત્મક સંદેશ જાય છે અને પાર્ટી પણ તેને લઈને ગંભીર છે. પાર્ટીને અસહજ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
 
ઉલ્લેખનીય છે કે મી ટૂ અભિયાન હેઠળ અકબર પર અનેક મહિલા પત્રકારો સાથે વાંધાજનક વ્યવહાર કર્યો હતો. મહિલાઓનું કહેવુ છે કે વિવિધ સંસ્થાનોમાં સંપાદક રહેવા દરમિયાન તેમણે તેમનુ યૌન શોષણ કર્યુ હતુ. આનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે પાર્ટી પોતાના મંત્રી પર લાગેલા આરોપોને લઈને ગંભીર છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

આગળનો લેખ