Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાનપુર પાસે કાલિંદી એક્સપ્રેસમાં બ્લાસ્ટ, કોઇ ઈજાગ્રસ્ત નહી.

Webdunia
બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (23:55 IST)
કાનપુર પાસે કાલિંદી એક્સપ્રેસમાં બુધવારે સાંજે વિસ્ફોટ થયો હતો. પ્રારંભિક જાણકારી અનુસાર, સાંજે સાત વાગ્યાના 10 મિનિટ પર આ ટ્રેનના જનરલ કોચના ટોઇલેટમાં વિસ્ફોટ થયો હતો. આ અગાઉ સવારે મુંબઇ પાસે મીરા રોડમાં આ પ્રકારનો વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ ઓછી તીવ્રતાનો હતો. આ વિસ્ફોટથી ભાગદોડ મચી ગઇ હતી. ટ્રેનમાં વિસ્ફોટથી અફરાતફરી મચી ગઇ હતી. ફોરેન્સિક એક્સપર્ટ અને એટીએસની ટીમ ઘટનાસ્થળ પર રવાના થઇ હતી. આ લો-ઇન્ટેંસિટીનો બ્લાસ્ટ હતો. જ્યારે પહેલી નજરમાં આ વિસ્ફોટક પદાર્થથી બ્લાસ્ટ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વિસ્ફોટથી ટોઇલેટથી છત ઉડી ગઇ હતી. કાનપુર સેન્ટ્રલથી ભિવાની જતી કાલિંદી એક્સપ્રેસ બર્રાજપુર સ્ટેશન પર ઉભી હતી ત્યારે વિસ્ફોટ થયો હતો.
 
રેલવે અને સ્થાનિક પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે એક કોથળામાં વિસ્ફોટ રાખવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં ધમાકાની ખબરે સંપૂર્ણ ઉત્તરપ્રદેશના લોકોને હલાવી દીધા છે. લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. રેલવે અને યુપી પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે. જોકે અત્યાર સુધી આ બ્લાસ્ટ ક્યા કારણે થયો છે તે વિશે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. પ્રાપ્ત મહિતી મુજબ એટીએસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments