Publish Date: Sun, 13 Oct 2024 (10:26 IST)
Updated Date: Sun, 13 Oct 2024 (10:30 IST)
Baba Siddique Murder Reason - મુંબઈમાં NCP અજિત પવાર જૂથના નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીના મૃત્યુના સમાચારે દેશવાસીઓને ચોંકાવી દીધા છે. બાબા સિદ્દીકી રાજકીય વ્યક્તિત્વ ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પણ જાણીતું નામ હતું.
તેમની ઈફ્તાર પાર્ટી હંમેશા ચર્ચામાં રહેતી હતી. કહેવાય છે કે તેણે બોલિવૂડ સ્ટાર્સ સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચેની દુશ્મનીનો અંત લાવીને નવી શરૂઆત કરી હતી. બાબા સિદ્દીકીને સંજય દત્ત સહિત અનેક હસ્તીઓની નજીક ગણવામાં આવતા હતા. તેમના નિધનથી અનેક સવાલો ઉભા થયા છે.
તેમની ઈફ્તાર પાર્ટી હંમેશા ચર્ચામાં રહેતી હતી. કહેવાય છે કે તેણે બોલિવૂડ સ્ટાર્સ સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચેની દુશ્મનીનો અંત લાવીને નવી શરૂઆત કરી હતી. બાબા સિદ્દીકીને સંજય દત્ત સહિત અનેક હસ્તીઓની નજીક ગણવામાં આવતા હતા. તેમના નિધનથી અનેક સવાલો ઉભા થયા છે.
પોલીસને 6 બુલેટના શેલ મળી આવ્યા હતા
બાંદ્રા પૂર્વ વિસ્તારમાં તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર તેમના પર છ રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. પોલીસને ઘટના સ્થળેથી 6 બુલેટના શેલ મળ્યા છે.