Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઔરંગબાદ દુર્ઘટના - ઘરે પરત જવાની આશામાં રેલના પાટા પર જ નીકળી ગયો મજૂરોનો જીવ

Webdunia
શુક્રવાર, 8 મે 2020 (08:16 IST)
કોરોના વાયરસના સંકટ અને લૉકડાઉનને કારણે દેશના જુદા જુદા સ્થાનો પર પરપ્રાંતિય મજૂર ફંસાયા છે. દરેકને પોતાના ઘરે જવાની ઉતાવળ છે. પરંતુ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આ કામદારોને ક્યાં ખબર હતી કે તેમના ઘરે પાછા ફરવાની આશા રેલવે પાટા પર જ મરી જશે. હકીકતમાં, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક દુ: ખદ અકસ્માત સર્જાયો છે, જ્યાં એક ટ્રેન ટ્રેક પર સૂતાં મજૂરોને માલગાડીએ કચડી નાખ્યા. આ અકસ્માતમાં લગભગ 14 પરપ્રાંતિય મજૂરોનાં મોત નીપજ્યાં છે અને 5 જેટલા ઘાયલ થયા છે.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત સવારે 6 વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે પગપાળા ઘરે પરત ફરતા પરપ્રાંતિય મજૂરો રેલ્વે ટ્રેક પર સૂઈ રહ્યા હતા. પછી અચાનક માલગાડી તેમની ઉપરથી પસાર થઈ. સવારના સમયે ઉંડી ઉંઘમાં હોવાથી કોઈને કંઈ હોશમાં આવવાની તક મળી નહીં અને તેમના ઘરે પાછા ફરવાની આશાઓ તૂટી ગઈ.
ઔરંગાબાદમાં જાલના રેલ્વે લાઇન નજીક આ અકસ્માત થયો હતો. દક્ષિણ મધ્ય રેલ્વે (એસસીઆર) ના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત ઔરંગાબાદના કરમદ નજીક થયો હતો. માલગાડીના ખાલી રૈકએ  કેટલાક લોકોને ચગડી નાખ્યા છે. ઘટના સ્થળ પર આરપીએફ અને સ્થાનિક પોલીસ સ્થળ ઘટના સ્થળ પર પહોંચી છે અને રાહત-બચાવની  કામગીરી ચાલુ છે.
 
દક્ષિણ મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે અને 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને ઔરંગાબાદની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે।  
 
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની રોકથામ માટે સરકારે માર્ચના અંતિમ અઠવાડિયામાં લોકડાઉનની જાહેરાત કરી હતી. આ પછી લાખો પરપ્રાંતીય મજૂરો વિવિધ રાજ્યોમાં અટવાઈ ગયા હતા. આ પછી, ઘણા કામદારો પગપાળા ઘરે જવા રવાના થયા હતા. જો કે, ત્રીજા તબક્કાના લોકડાઉન જાહેર થયા પછી, કેન્દ્ર સરકારે મજૂરોને તેમના ગૃહ રાજ્યમાં લઈ જવા માટે ટ્રેનો ચલાવવાની શરૂઆત કરી છે. રેલ્વેએ અત્યાર સુધીમાં એક લાખથી વધુ મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments