Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠકમાં કૃષિ કાયદા રદ કરવાના પ્રસ્તાવને મંજૂરી

Webdunia
બુધવાર, 24 નવેમ્બર 2021 (15:05 IST)
ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂતોનો કાયદો પાછો ખેંચવાના બિલને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટે કૃષિ બિલ પાછું ખેંચવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.19 નવેમ્બરના રોજ રાષ્ટ્રને સંબોધનમાં પીએમ મોદીએ ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી 
 
 ત્રણેય કૃષિ કાયદાઓ યોગ્ય રીતે સમાપ્ત કરવામાં આવશે.બિલ બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવશેસંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. સંસદીય નિયમો અનુસાર, કોઈપણ જૂના કાયદાને પાછો ખેંચવાની પ્રક્રિયા પણ નવો કાયદો બનાવવા જેવી જ છે. 
 
રાષ્ટ્રપતિની મંજૂરી બાદ રદ ગણાશે કૃષિ મંત્રાલયનાં ડ્રાફ્ટ અનુસાર બિલને સંસદમાં પેશ કરવામાં આવશે અને તે બાદ તેના પર ચર્ચા બાદ વોટિંગ થશે અને બહુમતથી નિર્ણયને પાસ કરવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ ત્રણેય કૃષિ કાયદા રદ્દ ગણવામાં આવશે. નોંધનીય છે કે 19 નવેમ્બરે જ પ્રધાનમંત્રી મોદીએ ત્રણેય કૃષિ કાયદા રદ્દ કરવાને લઈને રાષ્ટ્રનાં સંબોધનમાં એલાન કર્યું હતું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments