Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંધ્રપ્રદેશ: વિશાખાપટ્ટનમમાં કેમિકલ પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક ​​થતાં 8 લોકોનાં મોત અને 1000 થી વધુ બીમાર

Webdunia
ગુરુવાર, 7 મે 2020 (11:08 IST)
આંધ્રપ્રદેશના કેમિકલ પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લિક થયાના સમાચાર છે. વિશાખાપટ્ટનમના આરએસ વેંકટપુરમ ગામમાં એલજી પોલિમર ઉદ્યોગ પ્લાન્ટમાં રાસાયણિક ગેસ લીક ​​થવાને કારણે આશરે 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત 1000 થી વધુ લોકો આ ઝેરી ગેસથી બીમાર થયા છે. ગેસ લીક ​​થયા બાદ આખો વિસ્તાર ખાલી કરવામાં આવી રહ્યો છે. જોકે, આંધ્રપ્રદેશના ડીજીપી ગૌતમ સવાંગે ઝેરી ગેસ લીકેજ થવાના કારણે 6 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે, પરંતુ પુષ્ટિ વિનાના અહેવાલોમાં 8 લોકોનાં મોતની વાત જણાવી રહી છે
 
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ગેસ લિકેજને કારણે લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવાની ફરિયાદ થયા બાદ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોપાલાપટ્ટનમમાં એલજી પોલિમર લિમિટેડ ખાતે સવારે 3 વાગ્યે આ અકસ્માત થયો હતો, જ્યારે  આસપાસની સોસાયટીના લોકો સૂઈ રહ્યા હતા.

<

Andhra Pradesh: Chemical gas leakage reported at LG Polymers industry in
RR Venkatapuram village, Visakhapatnam. People being taken to hospital after they complained of burning sensation in eyes&breathing difficulties. Police, fire tenders, ambulances reach spot.Details awaited. pic.twitter.com/uCXGsHBmn2

— ANI (@ANI) May 7, 2020 >
 
ગૅસ-લીકેજથી પ્રભાવિત લોકોને હૉસ્પિટલ પહોંચાડવા 50 ઍમ્બુલન્સને સ્ટેન્ડ-બાય રાખવામાં આવી હતી.
 
15 લોકોને કિંગ જ્યૉર્જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર શરૂ કરાઈ છે. આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી વાય. એસ. જગનમોહન રેડ્ડીએ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે.
 
એજન્સીએ કેટલીક તસવીરો બહાર પાડી છે, જેમાં જોઇ શકાય છે કે ગેસ લીકેજ થવાને કારણે લોકોની હાલત કેટલી ખરાબ છે. લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે અને આસપાસના વિસ્તારમાં ગેસ ફેલાયો છે, ત્યારબાદ લોકો શ્વાસ લેવામાં અને આંખમાં બળતરાની ફરિયાદ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments