Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાથી મોત થતા 4 લાખનુ વળતર આપવુ શક્ય નથી - કેન્દ્રનો સુપ્રીમ કોર્ટને જવાબ

Webdunia
રવિવાર, 20 જૂન 2021 (15:27 IST)
કોરોના સંક્રમણથી જીવ ગુમાવનારા  (Covid-19 Death) વાળા દર્દીઓને વળતર (Compensation) આપવાને લઈને સુપ્રીમ કોર્ટ(Supreme Court) માં દાખલ અરજી પર કેન્દ્ર સરકાર તરફથી સોગંધનામુ દાખલ કરવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના પરિવારને 4 લાખ રૂપિયાનુ વળતર નથી આપી શકાતુ. તેમણે કહ્યુ કે વિપદા કાયદાના હેઠળ અનિવાય વળતર ફક્ત પ્રાકૃતિક વિપદા  જેવા કે ભૂકંપ, પૂર વગેરે પર જ લાગૂ થાય છે. સરકાર તરફથી એવુ કહેવામાં આવ્યુ છે કે જો એક બીમારીથી થનારા મોત પર મદદ રાશિ આપવામાં આવે અને બીજી પર નહી તો આ ખોટુ કહેવાશે. 
 
કેન્દ્ર  સરકાર તરફથી સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે દરેક કોઈ કોરોના સંક્રમિત દર્દીના મોત પર વળતર આપવુ રાજ્યોના નાણાકીય સામર્થ્યની બહાર છે.  
 કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે કે, કોરોનાને કારણે સરકાર આર્થિક દબાણ હેઠળ છે. એક તરફ, જ્યાં સરકાર કારોનાને કારણે આરોગ્ય પ્રણાલી પર ઘણા પૈસા ખર્ચ કરી રહી છે, ત્યાં કરની વસૂલાતમાં પણ ઘણો ઘટાડો થયો છે..આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની આર્થિક સ્થિતિ પર ઘણુ  દબાણ જોવા મળી રહ્યુ છે. તેથી સરકાર વળતર અથવા આર્થિક સહાય રૂપે કોરોના પીડિત પરિવારને ચાર લાખ રૂપિયા આપી શકતી નથી. આટલા પૈસા ખર્ચવાથી કોરોના સામે લડવામાં સરકારના પ્રયત્નોને અસર થશે. વળતર આપીને ફાયદો ઓછો થશે અને નુકસાન વધુ થશે.
 
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોનાને કારણે થયેલ મૃત્યુનું વળતર આપવા માટે અરજી કરવામાં આવી છે. આ અરજીમાં કેન્દ્ર અને રાજ્યોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ સંક્રમણ  કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારોને ચાર લાખ રૂપિયાની મદદ રકમ આપવાની વિનંતી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કોર્ટને એમ પણ કહ્યું છે કે ડિઝાસ્ટર એક્ટ હેઠળ, કોઈ પણ દુર્ઘટનાની સ્થિતિમાં નિર્ણય લેવો એ સરકારનો જ અધિકાર છે. કોર્ટ આમાં દખલ કરી શકે નહીં. આ મામલો આવતા અઠવાડિયે સુનાવણી માટે આવી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

Vladimir Putin: ઓફિસમાં બ્રેક દરમિયાન કરો સેક્સ, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિનનુ ચોંકાવનારુ નિવેદન

આગળનો લેખ
Show comments