Publish Date: Wed, 18 Aug 2021 (13:52 IST)
Updated Date: Wed, 18 Aug 2021 (13:58 IST)
પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીએ મંગળવારને વીડિયો કાંફ્રેસિંગથી ટોક્યો 2020 પેરાલંપિક રમતોમાં ભાગ લેવા જઈ રહ્યા પેરા એથલીટ દળની સાથે વાતચીત કરી. જણાવીએ આ સમયે કુળ 9 રમત ઈવેંટના 54 પેરા અથલીટ દેશનો પ્રતિનિધિત્વ કરવા માટે ટોક્યો જશે. આ પેરાલંપિક રમતોમાં ભાગ લેતા અત્યાર સુધીનો સૌથી મોટુ ભારતીય દળ છે. આ વાતચીત દરમિયાન કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર પણ હાજર હતા.
જણાવીએ કે કોરોના વાયરસ મહામારીના કારણે ઓલંપિકની રીતે પેરાલંપિક રમતોના દરમિયાન પણ સ્ટેડિયમમાં ફેંસને આવવાની પરવાનહી નહી હશે. આ જાણકારી આયોજકોએ સોમવારે આપી. ઓલંપિકના
દરમિયાન ટોક્યોના બહારી ક્ષેત્રોમાં થયેલ રમત આયોજનોમાં કેટલાક ફેંસને પરવાનગી આપી હતી પણ આ સમયે કોઈ પણ રમત માટે દર્શકોને આવવાની પરવાનગી નહી હશે. કેટલાક કાર્યક્રમમાં પણ બાળકોના ભાગ લેવાની શકયતા જાહેર કરી છે.
પેરાલિમ્પિક ગેમ્સ 24 ઓગસ્ટથી શરૂ થશે અને 5 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વખતે લગભગ 4,400 ખેલાડીઓ ભાગ લેશે. અગાઉ 11,000 થી વધુ ખેલાડીઓએ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. પેરાલિમ્પિક રમતો પહેલા, ટોક્યોમાં નવા ચેપના કેસો વધ્યા છે અને ખેલાડીઓને પણ ચેપ લાગવાનું જોખમ છે. રોગચાળાની સ્થિતિ વધુ ખરાબ થતાં જાપાનના વડા પ્રધાન યોશીહિડે સુગાએ સોમવારે કહ્યું કે ટોક્યો અને અન્ય પ્રદેશોમાં કટોકટીની સ્થિતિ 12 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવશે. કટોકટીની સ્થિતિ 12 જુલાઈથી અમલમાં છે અને આ મહિને સમાપ્ત થાય છે.