Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો મોદી ઈન્દ્રપ્રસ્થ(દિલ્હી) હારી ગયા તો ?

જો મોદી ઈન્દ્રપ્રસ્થ
ભાજપાના સ્થાનીક નેતાઓમાંથી અનેક લોકો કિરણ બેદીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાના હાઈકમાનની રીતથી નારાજ છે.  અને તેમાંથી અનેક પાર્ટી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. પણ નરેન્દ મોદી અને અમિત શાહને આ ચૂંટણીમાં લાગેલા દાવનો અહેસાસ છે.  
 
તેઓ આમ આદમી પાર્ટીને ચૂંટણી જીતવાની દરેક શક્ય કોશિશ કરી રહ્યા છે. અત્યાર સુધી મોદીનુ નામ, પૈસાની તાકત અને કીચડ ઉછાળવાની રમતનો સહારો લીધો હતો. પણ તેનાથી જોઈએ એવા પરિણામ ન નીકળી શક્યા. 
 
જાહેરાતોનો માર પછી પ્રધાનમંત્રીના ચૂંટ્ણી અભિયાનમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ આધી રાત મે હવાલા નો આરોપ લગાવ્યો હતો પણ તેમ છતા આપ બધા ચૂંટણી સર્વેક્ષણમાં આગળ છે. પણ પ્રશ્ન એ છે કે ભાજપાની વિજયકથામાં શુ ભૂલ થઈ ગઈ ? ડિસેમ્બર 2013માં દિલ્હી ચૂંટણીમાં તેણે સૌથી વધુ સંખ્યામાં સીટો જીતી હતી.  

ચૂંટણી પ્રચાર - લોકસભા ચૂંટણીમાં પણ ભાજપાને બધી સાત સીટો પર જીત મળી હતી.  મોદીની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠને ધ્યાનમાં રાખતા આ ચૂંટણી પાર્ટી માટે ખૂબ સરળ હોવી જોઈએ હતી. ખાસ કરીને ત્યારે જ્યારે આપને ખોટી સલાહ પર મુખ્યમંત્રી પદ પરથી અરવિંદ કેજરીવાલના રાજીનામાનુ નુકશાન ચુકવવુ પડ્યુ હતુ. 
 
49 દિવસો પછી અરવિંદે જ્યારે સરકાર છોડી. પાર્ટી અને શાસન કરવાની તેમની કાબેલિયત વિશે લોકોનો એક વિચાર બન્યો. અને હવે જ્યારે ભાજપાને ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં આ લડાઈ મુશ્કેલ લાગે રહી છે તો આ માટે તો પોતે જ જવાબદાર છે. 
 
એલ જી પર રસૂખ - મોદી અને અમિત શાહે જે સૌથી મોટી ભૂલ કરી તે એ કે તેમણે વિધાનસભાની ચૂંટણી કરાવવામાં મોડુ કરી નાખ્યુ. અને તે પણ ત્યારે જ્યારે એ સ્પષ્ટ હતુ કે આપ અને કોંગ્રેસને તોડ્યા વગર કોઈ સરકાર નહોતી બની શકતી.  પણ ભાજપાના લેફ્ટિનેટ ગવર્નર પર પોતાના રસુખનો ઉપયોગ કરતા આ મામલો લાંબો ખેચ્યો. 
 
આનાથી ભાજપાને કોઈ કયા ફાયદની આશા હતી એ સ્પષ્ટ નથી. પણ એટલુ નક્કી છે કે આપ ને એક લડાકું તાકતના રૂપમાં ખુદને ફરી સ્થાપિત કરવામાં મદદ મળી ગઈ. 
 
મોદી લહેર - હરિયાણા. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મળેલી ચૂંટણી જીતના ઉત્સાહથી ભરપૂર ભાજપાએ ત્યારે બીજી ભૂલ કરી. તેણે મુખ્યમંત્રી પદના કોઈ શક્તિશાળી ઉમેદવાર રજુ કરવાને બાલે મોદી લહેરનો વિશ્વાસ કર્યો. જોકે મહારાષ્ટ્રમાં આ રણનીતિ વધુ સફળ ન રહી.  અહી પાર્ટી બહુમતથી થોડીક જ દૂર રહી ગઈ. અને ઝારખંડમાં તેને ઓલ રાઉંડ સ્ટુડેંટ્સ યુનિયન સાથે ગઠબંધન કરવુ પડ્યુ. 
 
પણ હરિયાણાના પરિણામે દિલ્હી પર કબજો કરવાના પાર્ટીના ઈરાદાને હિમંત આપી.  દિલ્હીમાં ભાજપા પાસે પહેલા જ મુખ્યમંત્રી પદ માટે એક મજબૂત અને વિશ્વાસપાત્ર ઉમેદવાર હર્ષવર્ધન હતા. પણ આ વખતે પાર્ટીએ નવા ચેહરાની મદદ લીધી અને મોદી સરકારના કરિશ્મા પર વિશ્વાસ કર્યો.  દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં મોદીની રેલી પર ઉત્સાહજનક પ્રતિક્રિયા ન મળી તો પાર્ટીને લાગ્યુ કે આ રણનીતિ નિષ્ફળ થવાની છે. અને પછી પાર્ટીએ રસ્તો બદલ્યો અને કેજરીવાલની અપીલનો જવાબ આપવા માટે એક સ્થાનીક વિશ્વાસપાત્ર ચેહરો લાવવાનો નિર્ણય કર્યો. 
webdunia
માસ્ટર સ્ટ્રોક - કિરણ બેદીને આગળ લાવવાનો નિર્ણય પહેલી નજરમાં તો માસ્ટર સ્ટ્રોક કહેવાયો.  પણ આ પૂર્વ પોલીસ અધિકારીએ ચૂંટણી અભિયાનમાં પગલુ મુકતા જ એ સ્પષ્ટ થઈ ગયુ કે તેમનુ આકર્ષણ પાર્ટીના પારંપારિક મધ્યમવર્ગીય સુધી જ સીમિત છે અને પછી તેમની કેટલીક હાસ્યાસ્પદ વાતોએ પાર્ટીના મધ્યમવર્ગના સમર્થકોને પણ દૂર કરી નાખ્યા. અને તેમના શાહી અંદાજને કારણે પાર્ટી કાર્યકર્તાઓ અને સ્થાનીક નેતાઓને પણ મુશ્કેલી ઉભી થવા માન્દી.  ભાજપાએ ત્રીજી ભૂલને સુધારવા માટે ચોથી ભૂલ કરી નાખી. 
 
હવાલાનો આરોપ - મોદી અને પાર્ટીના બીજા વરિષ્ઠ નેતાઓએ કેજરીવાલ પર વ્યક્તિગત હુમલાની શરૂઆત કરી અને આપ પર પૈસાની ગેરકાયદેસર લેવડ દેવડ અને હવાલાનો આરોપ લગાવ્યો. 
 
આ આરોપોમાં હકીકત હોઈ શકતી હતી જો ભાજપા પોતે પોતાના જાહેર ફંડના સાહીઠ ટકાથી વધુ રકમ સ્ત્રોતની વિગત આપી હોત. 
 
પ્રદર્શન નિદેશાલય. ઈનક્મ ટેક્સ વિભાગ અને રેવેન્યુ ઈંટેલીજેંસ નિદેશાલય તરફથી કોઈ કાર્યવાહી કર્યા વગર દિલ્હીમાં અનેક એવા લોકો છે જે આ આરોપોને બદનમ કરવાના અભિયાનના રૂપમા જોઈશુ. ગયા એપ્રિલમાં આપ ને બે કરોડ રૂપિયાનુ ફંડ આપનારી કથિત ફરજી કંપનીઓની તપાસની જવાબદારી તેમની સરકારી એજંસીઓ પર હતી. 
 
સત્તા વિરોધી પરિણામ 
 
શક્ય છે કે મોદી કાર્ડના ઉલટા પરિણામ પણ જશે કારણ કે દરેક ચાર રસ્તા પર , દરેક છાપામાં પ્રધાનમંત્રીનો ચહેરો અને રેડિયો પર તેમનો અવાજ સાંભળીને મતદાતા થાકી રહ્યા છે.  દિલ્હીની ચૂંટણી એ માટે પણ મહત્વપુર્ણ છે કે અહી એક વિરુદ્ધ રાજનીતિક મુકાબલો થઈ રહ્યો છે.  
 
ભાજપા સમર્થક - ભાજપાની સામે એક એવી રાજનીતિક પાર્ટી છે જે મજબૂત છે અને જેને ભ્રષ્ટાચારના આરોપોમાં લપેટી પણ નથી શકાતી. અને જેને સત્તા વિરોધી પરિણામોનો સામનો પણ નથી કરવો પડી રહ્યો. જો આમ આદમી પાર્ટી જીતે છે તો આ એક રાજનીતિક મોડલ સ્થાપિત થઈ જશે અને જે દેશના કોઈ બીજા ભાગમાં પણ જન્મ લઈ શકે છે. 
 
મોદી અત્યાર સુધી અપરાજિત રહ્યા છે. 2002 પછી દરેક ચૂંટણી જીતી રહ્યા છે. જો મોદી ઈન્દ્રપ્રસ્થનુ યુદ્ધ હારી ગયા તો તેમની અપરાજેયવાળી છબિ વિસરાય જશે જે તેમણે છેલ્લા 12 વર્ષોથી કાયમ રાખી છે. 

Share this Story:

Follow Webdunia gujarati