Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્રમ્પના રોડશો રૂટ પરની સોસાયટીના મકાનોમાં ચેકિંગ, લોકો સવારથી જ ઘરમાં પુરાઈ રહ્યાં

Webdunia
સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (11:02 IST)
ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીનો રોડ શૉ જે રૂટ પર થવાનો છે ત્યાંના રહેવાસીઓને સવારથી જ ઘરમા પુરાઈ રહેવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. 22 કિ.મી.ના રોડ શૉ પર સોસાયટીની બહાર રેલિંગ લગાવવામાં આવ્યા છે અને લાકડાં બાંધવામાં આવ્યા છે. જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે. જે રૂટ પર રોડ શૉ થવાનો છે એ રૂટ પર બોમ્બ સ્ક્વૉડ, ડોગ સ્ક્વૉડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

બન્ને સ્ક્વૉડ રૂટ પરની સોસાયટીમાં જઇને અને રોડ પર આવેલા મકાનોમાં જઇને ચેકિંગ કરી રહી છે. આ સાથે જ પાણીની બોટલ પણ બહાર રોડ પર રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સવારે 11.50 વાગે એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના 22 કિમીના રોડ શૉ યોજાશે. તેને ઇન્ડિયા રોડ શૉ એવું નામ આપવામાં આવ્યું છે. રોડ શૉમાં 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની સાંસ્કૃતિક ઝલક તથા મહાત્મા ગાંધીના જીવન તથા સંદેશાની પ્રતિકૃતિ પણ રજૂ કરવામાં આવશે. મોટેરા વિસ્તારમાં રહેતા લોકો માટે 24 ફેબ્રુઆરીનો દિવસ મુશ્કેલીભર્યો રહી શકે છે, કારણે સવારે 10 વાગ્યાથી કાર્યક્રમ પુર્ણના થાય ત્યાં સુધી રસ્તો બંધ હોવાથી સ્થાનિકોની અવર-જવર પણ બંધ થઇ જશે. સાથે જ ઘરે આવતા સગસંબંધીઓ પણ મળવા નહી આવી શકે. જોકે હાલમાં આ બાબતે કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી પરંતુ પોલીસ કમિશ્નર રસ્તો બંધ રહેવા બાબતે જાહેરાત કરી શકે છે. પરંતુ જો કોઇ ઇમરજન્સી ઘટના બનશે તો તેવામાં લોકોને જવા દેવામાં આવશે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments