Publish Date: Wed, 27 Apr 2022 (18:29 IST)
Updated Date: Wed, 27 Apr 2022 (17:18 IST)
પુત્ર હોય કે પુત્રી બંને ભગવાનના વરદાન છે. ન તો કોઈ કોઈનાથી ઓછુ છે કે ન તો વધુ. સંસ્કાર અને વાતાવરણ આ વાત નક્કી કરે છે કે તમારો પુત્ર કે પુત્રી કેવા થશે. આવો જાણી કે પીરિયડ પછી કયા દિવસે ગર્ભ રહેવાથી તમને પુત્ર થશે અને કયા દિવસે ગર્ભ રહેવાથી તમને પુત્રીની પ્રાપ્તિ થશે.
કઈ રાત્રે ગર્ભ રહેવાથી કેવા પ્રકારની સંતાન જન્મ લેશે.
Period શરૂ થવાના ચોથા, છઠ્ઠા, 8મા, 10માં, 12મા, 14માં અને 16મી રાત્રે ગર્ભ રહેવાથી પુત્ર પ્રાપ્ત થાય છે. જ્યારે કે Period શરૂ થવાના દિવસથી 5મી, 7મી, 9મી, 11મી, 13મી અને 15મી રાત્રે ગર્ભ રહેવાથી પુત્રી પ્રાપ્ત થય છે.
સાવધાનીઓ
1. Periodની યોગ્ય ગણતરી કરો
Period શરૂ થવાના દિવસને પહેલો દિવસ ગણવો જોઈએ.. જો તમારો Period 10 April ના રાત્ર 9 વાગ્યે શરૂ થયો છે તો 11 April ની રાત્રે 9 વાગ્યા તમારા Periodનો એક દિવસ પુરો થશે. ધ્યાન રાખો તમે 11 April ના બીજા દિવસ ન ગણો. Period શરૂ થવાના 24 કલકા પછી જ બીજો દિવસ ગણો.
પુત્ર પ્રાપ્તિ માટે Period શરૂ થવાના દિવસને ગણીને ચોથી છઠ્ઠી 8મી 10મી 12મી 14મી અને 16મી રાત્રે સંભોગ કરવો જોઈએ. જ્યારે કે પુત્રી પ્રાપ્તિ માટે 5મી 7મી 9મી 11મી 13મી અને 15મી રાત્રે સંભોગ કરવો જોઈએ.
જો તમને પુત્ર જોઈએ છે તો જ્યા સુધી ગર્ભ ન રહી જાય ત્યા સુધી 5મી 7મી 9મી 11મી 13મી અને 15મી રાત્રે સેક્સ ન કરો. એ જ રીતે જો તમને પુત્રી જોઈતી હોય તો ચોથી છઠ્ઠી 8મી 10મી 12મી 14મી અને 16મી રાત્રે ગર્ભધારણ થતા પહેલા પ્રણય ન કરો.
એ જ રાત્રે ગર્ભ રહી જાય એ ચોક્કસ કરવાના કેટલાક ઉપાય
1. ધ્યાન રાખો કે જે રાત્રે તમને ગર્ભ રહેવાનો દિવસ પસંદ કર્યો છે એ રાત્રે ગર્ભ રહેવો જોઈએ. સંભોગ થવો જોઈએ ઉપરાંત એ જ રાત્રે ગર્ભ રહે એ ચોક્કસ કરવા માટે તમારે એ રાત્રે 2-3 વાર પ્રણય કરવો જોઈએ. તમે જેટલા વધુ વાર સંભોગ કરશો એટલો વધુ ગર્ભ રહેવાની શક્યતા રહેશે.
2. ગર્ભ રહી જાય એ માટે સબંધ કર્યા પછી લિંગને યોનીમાંથી ત્યા સુધી બહાર ન કાઢો જ્યા સુધી તે જાતે બહાર ન આવી જાય અને યોનીને પણ સબંધ પછી તરત સાફ ન કરો. બીજા દિવસે ન્હાતી વખતે જ યોની સાફ કરો.
3. જે રાત તમે ગર્ભધારણ માટે પસંદ કરી છે તેના 2-4 દિવસ પહેલાથી ન તો સં બધ કરો કે ન તો હસ્તમૈથુન. આનાથી શુક્રાણુઓની પ્રબળતા વધી જશે.
4. એ દિવસે તનાવમુક્ત રહો અને એ દિવસે માનસિક કે શારીરિક થાક ન રહે એ વાતનુ ધ્યાન રાખો. શક્ય હોય તો એ દિવસે ઘર બહારના કામોથી મુક્ત રહો.
5. સ્ત્રીના ચરમોત્કર્ષ પર પહોંચ્ય પછી વીર્યનુ સ્ખલન થવાથી ગર્ભધારણની શક્યતા વધી જાય છે. તેથી સ્ત્રી સાથે સક્સ કરતા પહેલા તેને સંપૂર્ણ રીતે ઉત્તેજીત કરી લો.
નોંધ - આ લેખમાં શક્ય તેટલી સાચી માહીતી આપી છે. પણ સંતાન પ્રાપ્તિ ઈશ્વરના હાથમાં છે.. આ વાત યાદ રાખો અને સંતાનની પ્રવૃત્તિને નિર્ધારિત કરનારા બીજા પણ અનેક કારણ છે. તેથી એક સારી સંતાન પ્રાપ્તિ માટે ભગવાનની કૃપા તમારા ઉપર રહેવી જરૂરી છે અને આ ઉપરાંત એ પણ જરૂરી છે કે ગર્ભવતી સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન પવિત્ર વાતાવરણમાં રહે. સારી વાતો જુએ સાંભળે અને બાળકના જન્મ પછી પણ સારુ વાતાવરણ મળે.