Webdunia - Bharat's app for daily news and videos

Install App

તનિષ્ક જાહેરાતને લઈને ભડક્યા લોકો, ગુજરાતના આ શહેરમાં દુકાન બહાર માફીનુ લગાવ્યુ બોર્ડ

Webdunia
મંગળવાર, 13 ઑક્ટોબર 2020 (16:16 IST)
ટાટા સમૂહ (TATA Group)ના જાણીતા જ્વેલરી બ્રાંડ તનિષ્ક (Tanishq) એ એક જાહેરાત પર હંગામો થયા પછી તેને હટાવી દીધી. આ જાહેરાતને કારને ટ્વિટર પર  #BoycottTanishq ટ્રેંડ થઈ રહ્યુ છે. સોશિયલ મીડિયા પર લોકોની નારાજગી પછી કંપનીએ આ જાહેરાતને હટાવી દીધી. તનિષ્કએ પોતાના પ્રમોશન માટે એક નવી જાહેરાત રજુ કરી હતી  તેમા બે જુદા જુદા સમુહોના લગ્ન  (Interfaith Marriage) બતાવ્યા. જેના પર લોકોએ ટ્વિટર પર તનિષ્કને ટ્રોલ કરવી શરૂ કરી દીધી. 
 
આ સંદર્ભમાં ગુજરાતના ગાંધીધામમા તનિષ્કના જ એક શો રૂમે ઉદારતા બતાવતા આ જાહેરાતની ખુદ નિંદા કરી છે તનિષ્કના આ શો રૂમ પર લાગેલ માફીનામામાં લખ્યુ છે કે - આજે મીડિયામાં આવેલ તનિષ્કની જાહેરાત શરમજનક છે, જે બદલ ગાંધીધામ તનીષ્ક સમગ્ર કચ્છ જીલ્લા હિન્દુ સમાજની માફી માંગે છે. 
<

It is all where in social media of this side and I confirmed with a local journo.

It says, "advertisement which is running in media today is shameful, thus, tanishq Gandhidham apologises to whole Kutch district Hindu society."

Similar claims for AMD but can’t verify. pic.twitter.com/teygZR1b68

— Harshil Mehta હર્ષિલ મહેતા (@MehHarshil) October 13, 2020 >
શુ છે જાહેરાત 
 
આ જાહેરાતમાં એક હિંદુ મહિલાનો ખોળો ભરવાનો રિવાજ કાર્યક્રમમાં બતાવ્યો છે. આ યુવતીના લગ્ન મુસ્લિમ પરિવારમાં થયા છે. તેમા હિંદુ સંસ્કૃતિને ધ્યાનમા રાખતા મુસ્લિમ પરિવાર બધા રીતિ રિવાજ હિન્દુ ધર્મ મુજબ કરતા બતાવ્યા છે.  આ જાહેરાતમાં ગર્ભવતી મહિલા પોતાની સાસુને પુછે છે કે મા આ રિવાજ તો તમારા ઘરમાં થતો પણ નથી.  જેના પર તેની સાસુ જવાબ આપે છે કે પુત્રીને ખુશ કરવાનો રિવાજ તો દરેક ઘરમાં થાય છે ને. 
 
 
તનિષ્ક એ આ જાહેરાતનુ નામ એકત્વમ (Ekatvam) રાખ્યુ છે.. તેને જોયા પછી યુઝર્સ એટલા નારાજ થઈ ગયા કે ટ્વિટર પર  #BoycottTanishq ટ્રેંડ થવા લાગ્યુ. વિવાદ થયા પછી તનિષ્કે આ વીડિયો પોતાના યુટ્યુબ ચેનલ પરથી હટાવી લીધો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments