Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે ગુજરાતમાં ટેક્સ ફ્રી થઇ અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

Webdunia
બુધવાર, 8 જૂન 2022 (10:57 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત ભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્ય ગાથા રજૂ કરી દેશના સાહસપૂર્ણ ઇતિહાસને ઊજાગર કરતી હિન્દી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ગુજરાતમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં અભિનેતા અક્ષય કુમાર, સંજય દત્ત, સોનુ સૂદ અને અભિનેત્રી માનુષી છિલ્લર છે. આ ફિલ્મ 3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
 
ગુજરાતના સીએમ ઓફિસે ટ્વિટર પર લખ્યું છે કે, "ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના મહાન યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર બનેલી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ને રાજ્યમાં કરમુક્ત જાહેર કરી દીધી છે. તમને જણાવી દઇએ ગુજરાતના મુખ્યમંત્રીએ ભાજપ શાસિત રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ દ્રારા આ ફિલ્મને કરમુક્ત જાહેર કરી છે.
 
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમના સહયોગી પ્રધાનો સાથે ફિલ્મના દિગ્દર્શક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી, અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી માનુષી છિલ્લર સાથે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ જોઈ હતી. આ પછી સીએમ યોગીએ રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. તે જ સમયે, ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ માટે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. આ દરમિયાન ગૃહમંત્રીની સાથે સમગ્ર પરિવારે ફિલ્મની મજા માણી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments