Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગર બેઠક પર અમિત શાહ સામે કયા મજબૂત દાવેદાર ચૂંટણી લડી શકે છે

Webdunia
સોમવાર, 25 માર્ચ 2019 (12:18 IST)
અટલ બિહારી અને અડવાણીની સંસદિય સીટ હવે દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ચૂંટણી લડાવવા માટે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સમાધાનની રણનીતિના ભાગરૂપે અમિત શાહના ગુરૂ અને એનસીપીના ઉમેદવાર તરીકે શંકરસિંહ વાઘેલાને ઉતારવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ આ પહેલા કોંગ્રેસે અમિત શાહ સામે પાટીદાર ઉમેદવાર ડૉ.જીતુ પટેલને લડાવવા માટેની પણ એક અલગ પ્રકારની હિલચાલ શરૂ કરી છે. અમિત શાહ પ્રત્યે પાટીદારોમાં પ્રવર્તતી નારાજગીની સાથે ગાંધીનગર લોકસભામાં આવી પાંચ વિધાનસભામાં સૌથી વધુ પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે, ત્યારે અમિત શાહ સામે ડૉ.જીતુ પટેલ જેવા સેવાભાવી પાટીદાર આગેવાન અને વર્ષોથી ભાજપની રણનીતિના જાણકારને ઉતારવા માટે કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી છે.

આ અગાઉ ડૉ.જીતુ પટેલ ભાજપમાંથી સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા અમિત શાહ સામે પાટીદાર ડૉ.જીતુ પટેલના નામ અંગે કોઈ નિર્ણય ન લેવાય તો એનસીપી સાથે સમાધાન કરીને ગાંધીનગર લોકસભા બેઠક પરથી જો શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડવા તૈયાર થાય તો કોંગ્રેસ આ બેઠક છોડી દઈ એનસીપીના ઉમેદવારને જીતાડવા માટે કામ લાગી જશે. જો એનસીપીના ઉમેદવાર ગાંધીનગર લોકસભા લડે તો ભાજપ પાસે કોંગ્રેસને ગાળો દેવાનો મુદ્દો પુરો થઈ શકે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments