Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોંગ્રેસ માટે સારા સમાચારો, ભાજપ ગુમાવશે આ લોકસભાની 5થી 7 બેઠકો

Webdunia
ગુરુવાર, 23 મે 2019 (07:48 IST)
લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે . હજુય ચૂંટણી માહોલ જામતો નથી . ભાજપે ગત વખતની જેમ આ વખતે ય ૨૬ બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો છે પણ આ વખતે ભાજપ માટે કપરાં ચઢાણ છે. સ્ટેટ આઇબી અને સટ્ટાબજારનુ ગણિત છે કે, ગુજરાતમાં ભાજપને ૧૮-૨૦ બેઠકો મળી શકે છે જયારે કોંગ્રેસને ૫ બેઠકો થી માંડી ૮ બેઠકો મળે તેવો અંદાજ છે.૨૦૧૯ લોકસભાની ચૂંટણી ૨૩મી એપ્રિલે યોજાનાર છે. ચૂંટણી માહોલ ભલે જામ્યો ન હોય પણ ગુજરાતમાં ભાજપ આ વખથે ૨૬ બેઠકો જીતશે ખરી , કોંગ્રેસ ભાજપ પાસેથી કેટલી બેઠકો છિનવશે તે અંગે લોકો અત્યારથી રાજકીય વિશ્લેષણ કરવા માંડયા છે. ચૂંટણીને આડે હવે એક સપ્તાહ બાકી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં તો લાખો રુપિયાનો સટ્ટો ખેલાઇ રહ્યો છે. સટ્ટાબજારમાં કોંગ્રેસને ૬ સીટો મળે તેવો સટોડિયાઓ અંદાજ લગાવી રહયાં છે. આ તરફ, સ્ટેટ આઇબીનો ય રિપોર્ટ એવો છેકે, કોંગ્રેસ ભાજપ પાસેથી પાંચથી આઠ બેઠકો છિનવી શકે છે. આ વખતે પ્રજામાં અંડરકરંટ છે. મતદારોને ઉમેદવારો કે રાજકીય પક્ષો કળી શકે તેમ નથી પણ પરિસ્થિતી એવી છેકે, કોથળામાંથી બિલાડુ નીકળે તો નવાઇ નહીં . કેટલીય બેઠકો પર પરિણામો કઇંક અણધાર્યા આવી શકે છે. કોંગ્રેસ આઠથી માંડીને બાર બેઠકો મળે તેવો દાવો કરે છે. જયારે ભાજપના સૂત્રો માત્ર કોગ્રેસને ફાળે બે જ બેઠકો જશે તેવુ માની રહ્યાં છે.પાટણ , સુરેન્દ્રનગર , પંચમહાલ , આણંદ , દાહોદ , અમરેલી , છોટાઉદેપુરમાં કોંગ્રેસને જીત મળે તેવો માહોલ છે. આ બેઠકો પર ભાજપે એડીચોટીનુ જોર લગાવવુ પડશે નહીંતર હાર ભોગવવી પડે તેમ છે. આ ઉપરાંત બનાસકાંઠા , સાબરકાંઠા , બારડોલી ,મહેસાણા , જૂનાગઢમાં કાંટે કી ટક્કર છે. અંહી કઇં પણ થઇ શકે છે. ભાજપને કેટલીય બેઠકો પર આંતરિક જૂથવાદ નડી શકે છે સાથે સાથે પ્રજાનો રોષ ભાજપના ઉમેદવારને ઘેરભેગા કરે તેવુ ચિત્ર છે. 2૦૧૪ની લોકસભાની ચૂંટણીની જેમ ૨૦૧૯માં પુનરાવર્તન થાય તેમ નથી એટલે જ ભાજપ ૨૬ બેઠકો જીતશે તેવો દાવો ખોટો પડી શકે છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments