Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોગ્રેસના આગેવાનોને સર્જિકલ સ્ટ્રાઇકમાં બોમ્બ સાથે બાંધી ફેંકી દો : કેબિનેટ મંત્રી દિલીપભાઈ

Webdunia
ગુરુવાર, 4 એપ્રિલ 2019 (13:50 IST)
પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાબીએ બુધવારે ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલાં એમ. એન. હાઇસ્કૂલમાં એક સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં ભાજપના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે બફાટ કર્યો હતો. તેમણે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગનારા કોંગ્રેસીઓનો બોમ્બ સાથે બાંધી ફેંકી દેવાની વાત કરી હતી. દિલીપ ઠાકોરે બફાટ કરતા કહ્યું હતું,કોંગ્રેસના આગેવાનો સર્જિકલ સ્ટ્રાઇક બાબતે સાબિતી માંગે છે તેવા કોંગ્રેસના આગેવાનોને સ્ટ્રાઈક દરમિયાન વિમાનની નીચે બાંધી આતંકવાદીઓના વિસ્તારમાં બૉમ્બ સાથે ફેંકી દેવા જોઈએ. દિલીપ ઠાકોરે કોંગ્રેસનેજ પાકિસ્તાન ગણાવતા વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાનરૂપી કોંગ્રેસને મતદાન રૂપી હુમલો કરી ક્યાંય ગણતરીમાં ના રહેવા દેવાનું કહ્યું હતું. ઉલ્લેખની છે કે અગાઉ ભાજપના જ કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ થોડા દિવસ પહેલાં વિવાદિત નિવેદન આપ્યું હતું. ગણપત વસાવાએ કહ્યું હતું કે જો રાહુલ ગાંધી શિવજીનો અવતાર હોય તો તેમને 500 ગ્રામ ઝેર આપવું જોઈએ જો, સામી ચૂંટણી કાઢી નાંખે તો અમે માનીએ કે તેઓ શિવજીનો અવતાર છે. સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભાજપા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકાર પાસે ફિદાયીન હુમલાવર થવાની અને સરકાર પરવાનગી આપે તો પાકિસ્તાનમાં ફિદાયીન હુમલો કરવા જવાની પરવાનગી માંગી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments