Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના બે ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરાને દિલ્હીનું તેડું

Webdunia
મંગળવાર, 26 માર્ચ 2019 (12:34 IST)
કોંગ્રેસમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઇને ચાલી રહેલી વિચારણા દરમિયાન  બે ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ બન્ને નેતાઓને કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રબળ દાવેદાર જોવા આવે છે. લલિત કગથરાએ રાજકોટ બેઠક પરથી દાવેદારી નોંધાવી છે, જ્યારે લલિત વસોયાએ પોરબંદર બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. આટલું જ નહીં, બન્ને નેતાઓને પ્રબળ દાવેદાર પણ માનવામાં આવી રહ્યાં છે. 
શિવરાજ પટેલે રાજકોટથી ચૂંટણી લડવાની ના પાડ્યાં બાદ નવા સમીકરણો બની રહ્યાં છે.દિલ્હી જતાં પહેલાં લલિત કગથરાએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ટિકિટ માટે દિલ્હી નથી જઇ રહ્યો. પરંતુ જો પાર્ટી ચૂંટણી લડવાનું કહેશે તો હું તૈયાર છું. હું પાર્ટીનો વફાદાર સૈનિક છું. પાર્ટીના આદેશનું પાલન કરીશ. 
 દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે જ ચર્ચા કરીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. સાથે જ તેમણે રાજકોટ કોંગ્રેસમાં ભંગાણની વાત પણ નકારી હતી. ઉપરાંત પેટાચૂંટણીના ઉમેદવારોની પસંદગી મામલે પણ કોંગ્રેસમાં વિકટ પરિસ્થિતિ ઉભી થતી જોવા મળી રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર બેઠક પર કોળી બાદ ક્ષત્રિય સમાજે પણ દાવેદારી નોંધાવી છે. કુલ મળીને આ બેઠક પર ચાર લોકોએ દાવેદારી નોંધાવતાં કોંગ્રેસ અવઢવમાં છે. સોમા પટેલ, લાલજી મેર, ઋત્વિક મકવાણા બાદ હરપાલસિંહ ચુડાસમાએ પણ દાવેદારી નોંધાવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments