Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહેસાણા લોકસભા ચૂંટણી 2019 - Mahesana Lok Sabha Election 2019

Webdunia
ગુરુવાર, 2 મે 2019 (18:37 IST)
મુખ્ય પ્રતિદ્વંદી -  શારદાબહેન પટેલ (ભાજપ)    એ. જે. પટેલ  (કોંગ્રેસ) 
 
દૂધસાગર ડેરીનો મહેસાણાના લાખો પશુપાલકો ઉપર પ્રભાવ.  ભાજપે મહેસાણા (નંબર 4) પર શારદાબહેન પટેલને ચૂંટણીજંગમાં ઉતાર્યાં છે. તેમના પતિ અનિલ પટેલ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ઉદ્યોગ મંત્રી હતા. ગત વર્ષે તેમનું નિધન થયું હતું.
 
કૉંગ્રેસે એ. જે. પટેલને ઉમેદવાર બનાવ્યા છે. મહેસાણાનું વીસનગર પાટીદાર અનામત આંદોલનનું ઍપિસેન્ટર મનાતું. 1984માં ભાજપનો માત્ર બે બેઠક ઉપર વિજય થયો હતો, જેમાં મહેસાણા પણ સમાવિષ્ટ હતી. દૂધસાગર ડેરી સાથે સંકળાયેલા પશુપાલક આ બેઠક ઉપર નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
 
ઊંઝાની બેઠક ઉપરથી કૉંગ્રેસનાં ધારાસભ્ય આશાબહેન પટેલ આ વખતે પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી મેદાનમાં ઊતર્યાં છે.
 
ઊંઝા, વીસનગર, બેચરાજી, કડી (SC), મહેસાણા, વીજાપુર અને માણસા વિધાનસભા બેઠકો આ લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે.
 
ઊંઝાની બેઠક ઉપર 113995 પુરુષ, 105578 મહિલા તથા અન્ય ત્રણ સહિત કુલ 219576 મતદાતા છે.
853200 પુરુષ, 794234 મહિલા, 36 અન્ય સહિત આ બેઠક ઉપર કુલ 1647470 મતદાતા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments