Publish Date: Sun, 03 Jun 2007 (09:50 IST)
Updated Date: Fri, 27 Apr 2007 (18:21 IST)
જૈનશ્રુત
ભગવાન મહાવીરે ઘણા ઉપદેશો આપ્યા હતા. પણ તેમણે પોતે કોઈ ગ્રંથ રચ્યા નહોતા. સમય જતા તેમના ગણધરોએ, તેમના શિષ્યોએ અનેક ઉપદેશો અને વચનોનો સંગ્રહ કર્યો. તેમનું મૂળ સાહિત્ય પ્રાકૃત્તમાં છે. જૈન શાસનમાં પ્રાચીન આગમ ગ્રંથોની 46 સંખ્યા જેટલી મનાય છે.