Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
આ ઉપાય છે જીરાનું પાણી અને મધના, જે તમારા શરીરના ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવશે. જીરાનું પાણી અને મધને મિક્સ કરી પીવાથી તમને થશે આ 7 લાભ પહેલા આવો જાણીએ એને બનાવવાની વિધિ અને પછી જાણીએ એના અમૂલ્ય લાભ વિશે
જરૂરી સામગ્રી- 2 ચમચી જીરું, 2 ચમચી મધ , 1 કપ પાણી
બનાવવાની રીત- એક કપ પાણી પેનમાં ઉકાળો પછી એમાં 2 ચમચી જીરુ નાખી 5 મિનિટ ઉકાળો પછી એને એક કપમાં ગાળી લો અને એમાં 2 ચમચી મધ મિક્સ કરો. પીણું તૈયાર છે.
શરીર ડિટાક્સ
આ પેયને પીવાથી તમારા શરીરમાંથી દૂષિત પદાર્થ, તમારા લોહી, મળ અને પેશાબના રસ્તે બહાર નીકળી જશે. આથી તમારા શરીરને જલ્દી કોઈ રોગ નહી થાય.
પેટ રહેશે હમેશા દુરૂસ્ત
એને પીવાથી પેટમાં ભોજન પચવાવાળુ જ્યૂસ બને છે, જે પેટ હમેશા તંદુરસ્ત રાખે છે.
કબજિયાત નહી થાય
જો તમને કબજિયાત છે તો રોજ પીવો કારણકે એનાથી તમારુ પેટ સારી રીતે સાફ થઈ જશે.
કેસરથી બચાવે
જીરામાં એક કલ્પાઉંડ હોય છે જેનું નામ cuminaldehyde છે અને આ શરીરમાં કેંસર વાળા સેલ્સને બનવાથી રોકે છે.
બ્લ્ડપ્રેશર નિયંત્રિત બનાવે
જીરાના પાણીમાં ઘણા પોટેશિયમ હોય છે જે શરીરમાં ઈલેસ્ક્ટ્રોસાઈફને બેલેંસ કરે છે. આ કારણે બ્લ્ડપ્રેશર નિયંત્રિત રહે છે.
અસ્થમા કંટ્રોલ કરે
આ ડ્રિંક મ્યૂક્સ મેંબરેનમાં સોજા આવવાથી રોકે છે એના કારણે અસ્થમા અટેક કંટ્રોલમાં રહે છે.
એનીમિયાથી બચાવે
જીરાનું પાણી અને મધ બન્ને જ વસ્તુઓમાં આયરન વધારે માત્રામાં હોય છે આથી આ મિશ્રણ લોહીમાં આયરનની ઉણપને પૂરી કરી એનીમિયાથી બચાવે છે.