Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોઈ પૂજા પાઠ વગર માત્ર બે શબ્દોથી જ હનુમાનજીને પ્રસન્ન કરો

Webdunia
બુધવાર, 8 એપ્રિલ 2020 (05:43 IST)
રામ ભક્ત હનુમાન ખૂબ બુદ્ધિમાન, તાકતવર અને વિદ્યાવાન છે. તેમની પાસે અસીમિત શક્તિઓ છે. હનુમાન શ્રીરામને  પ્રેમ કરે છે. રામને એ પોતાના સ્વામી અને ખુદને તેમના સેવક સમજે છે. દેવી સીતા તેમને પોતાના  પુત્ર માને છે.  
 
હનુમાનજીએ સંપૂર્ણ  જીવન સીતારામની ભક્તિમાં ગાળ્યુ.  સીતારામ તેમના રોમ રોમમાં વસે છે. કહેવાય છે કે એક વાર તેણે પોતાની છાતી સીનો ચીરીને બતાવી તો એમાં માત્ર સીતારામ જ દેખાયા. શ્રીરામ પણ તેને તેટલો  જ પ્રેમ કરતા હતા.  માનવું છે કે દુનિયામાં જ્યાં પણ સીતારામનું નામ સ્મરણ કરવામાં આવે છે, 
આજે પણ ત્યાં હનુમાનજી કોઈને  કોઈ રૂપમાં આવી જાય છે. 
આવો જ રામ અને હનુમાનનો પ્રેમ છે જે  અમર છે.  
 
ભગવાન રામનું  નામ લેવા માત્રથી બધી સમસ્યાઓનું સમાધાન શક્ય છે. પણ દેવી સીતા વગર રામ અધૂરા છે.  સીતારામ બોલવાથી તે પૂર્ણ છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે બે શબ્દ બોલો જય સીતારામ . જ્યારે પણ હનુમાનજીના મંદિર અથવા ચિત્રના દર્શન થાય . તેની સામે સાચા મનથી જય સીતારામ અભિવાદન કરો. આ બે શબ્દોના જપ પછી તમને બીજી કોઈ પૂજાની જરૂર નહી પડે. 
 
મનુષ્યની ઈચ્છાઓ અનંત છે. સંસારની એવી કોઈ કામના નથી  જેને હનુમાન પૂરી નથી કરતા.  હનુમાનજીને  રામ ભક્ત બહુ પ્રિય છે.  હનુમાનજીની ઉપાસના કરવા બે શબ્દનો જાપ સરળ માધ્યમ છે તેનાથી જ ઈચ્છાઓ પૂરી કરો.  
 
મંગળવારના દિવસે જે માણસ સાચા મનથી સીતારામનું સ્મરણ પૂજા પાઠ હનુમાન મંદિરમાં જઈને તેના સ્વરૂપ સામે કરે છે. એની બધી મનોકામના હનુમાનજી પૂરી કરે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments