Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

Shravan recipe
ઘણા લોકોને લાગે છે કે ડુંગળી અને લસણ વગર શાક સ્વાદિષ્ટ બની શકે નહીં, પરંતુ યોગ્ય મસાલા અને યોગ્ય સમયે વઘાર કરવાથી શાકના સ્વાદમાં ઘણો ફરક પડી શકે છે. કેટલીક સરળ કિચન ટ્રિક્સની મદદથી તમે કોઈપણ શાકને સ્વાદિષ્ટ બનાવી શકો છો.

વઘાર કેવી રીતે કરવો?

ખાવાનો સ્વાદ વધારવો હોય તો શાકમાં વઘાર કરવાની યોગ્ય રીત જાણવી જરૂરી છે. ડુંગળી-લસણની જગ્યાએ વઘારમાં આદુની પેસ્ટનો ઉપયોગ કરો. તેની સાથે એવા મસાલાનો ઉપયોગ કરો, જે શાકનો સ્વાદ વધારે.
સૌપ્રથમ તેલ અથવા ઘીને સારી રીતે ગરમ કરો.
હવે તેમાં જીરું નાખો અને તેને થોડું લાલ થવા દો.
ત્યારબાદ એક ચપટી હિંગ નાખો. તે શાકનો સ્વાદ વધારે છે.
આ સિવાય તમે થોડું વરિયાળી અથવા રાઈ પણ ઉમેરી શકો છો.
ત્યારબાદ આદુ અને લીલા મરચાંને હળવા સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળો.
હવે ટામેટાં ઉમેરીને મસાલા સાથે સારી રીતે પકાવો.
આ મસાલાથી વધારશો શાકનો સ્વાદ
 
શાકનો સ્વાદ વધારવા માટે માત્ર આદુ અને લસણ જ જરૂરી નથી. તેમાં યોગ્ય મસાલાની પસંદગી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ડુંગળી-લસણ વગરનું ભોજન ફિક્કું લાગે છે, તો મસાલામાં આ વસ્તુઓ જરૂર ઉમેરો.
 

શું ઉમેરવું?

શાકમાં ધાણાજીરું પાઉડર જરૂર ઉમેરો. શક્ય હોય તો ઘરે પીસેલું ધાણાજીરું પાઉડર ઉપયોગમાં લો.
આ ઉપરાંત કાળા મરીનો પાઉડર પણ શાકનો સ્વાદ વધારે છે. ખાસ કરીને બટાકાના શાકમાં તે ખૂબ જ સારો લાગે છે.
મસાલામાં ગરમ મસાલો, કસૂરી મેથી અને જીરું પાઉડર પણ સ્વાદ વધારવામાં મદદ કરે છે.
ટામેટાંને પીસીને ઉપયોગમાં લેશો તો ગ્રેવી વધુ સારી બનશે.
શાકને સારો રંગ આપવા માટે લાલ મરચું પાઉડર ઉમેરી શકો છો.
આ ઉપરાંત શાક બની જાય પછી અંતમાં થોડું ઘી ઉમેરી શકો છો.

શાકને કેવી રીતે ફ્રાય કરવું?

શાકનો સ્વાદ વધારવા માટે તમે કેટલીક નવી ટિપ્સ પણ અપનાવી શકો છો. તેમાં દહીંનો ઉપયોગ પણ શાકનો સ્વાદ વધારવામાં મદદ કરે છે. તેનાથી શાકમાં હળવો ખાટો સ્વાદ આવે છે અને દરરોજ એક જ પ્રકારનું શાક ખાવાથી કંટાળો પણ આવતો નથી.
 
શાક બનાવતા પહેલાં સૌપ્રથમ શાકભાજીને થોડા તેલમાં હળવા હાથે સાંતળી અથવા ફ્રાય કરીને અલગ કાઢી લો. તેનાથી શાકનો સ્વાદ વધુ સારો બને છે. હવે મસાલા સારી રીતે પકાઈ જાય ત્યારબાદ તેમાં દહીં ઉમેરો અને પછી પહેલેથી સાંતળેલી શાકભાજી નાખો. આ શાકને અલગ અને સ્વાદિષ્ટ ટેસ્ટ આપવા માટે મહત્વપૂર્ણ છે. તેનાથી શાકનો સ્વાદ અને ટેક્સચર બંને સારા રહે છે.
 

અલગ-અલગ શાક માટે ઉપયોગી ટિપ્સ

બટાકાનું શાક: શાક બની ગયા પછી અંતમાં આમચૂર પાઉડર અને કસૂરી મેથી ઉમેરો.
ભીંડાનું શાક: ભીંડા બનાવતી વખતે થોડાં ટીપાં લીંબુનો રસ અથવા આમચૂર પાઉડર ઉમેરો. તેનાથી ચીકાશ ઓછી થશે અને ડુંગળીની જરૂર નહીં પડે.
દૂધીનું શાક: તેમાં આદુ અને લીલા મરચાંનો થોડો વધારે ઉપયોગ કરો અને અંતમાં લીલા ધાણા ઉમેરો.
રીંગણનું શાક: તેમાં મગફળી અથવા તલનો પાઉડર ઉમેરી શકો છો. તેની સાથે કસૂરી મેથી પણ સારી લાગે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?