Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રાવણ સ્પેશિયલ- પનીર મલાઈ મટર: કાંદા-લસણ વગર બનાવો હોટેલ જેવી ગાઢ અને સ્વાદિષ્ટ ગ્રેવી

Paneer Malai Matar
જો તમે કાંદા-લસણ વગર પણ રેસ્ટોરન્ટ જેવી ક્રીમી અને સ્વાદિષ્ટ પનીરની વાનગી બનાવવા માંગતા હો, તો આ પનીર મલાઈ મટર રેસીપી જરૂર અજમાવો. કાજુ અને ટામેટાની પેસ્ટ ગ્રેવીને ગાઢ અને રિચ સ્વાદ આપે છે.

સામગ્રી

200 ગ્રામ પનીર (ચોરસ ટુકડા કરેલા)
1 વાટકી લીલા વટાણા
2 ટામેટાં અને 8-10 કાજુની તૈયાર કરેલી પેસ્ટ
1 ચમચી કસૂરી મેથી
2 ચમચી મલાઈ (ફ્રેશ ક્રીમ)
1/2 ચમચી ગરમ મસાલો
1/2 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું પાવડર
1/2 ચમચી જીરું
2 ચમચી તેલ અથવા ઘી
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ પાણી
ALSO READ: બટાકા-શક્કરિયાની રસાવાળી શાક રેસીપી

બનાવવાની રીત

એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરીને તેમાં જીરું તડકાવો.
હવે તેમાં આદુની પેસ્ટ ઉમેરીને થોડીવાર સાંતળો.
ત્યારબાદ ટામેટા અને કાજુની પેસ્ટ ઉમેરી મધ્યમ તાપ પર તેલ છૂટું પડે ત્યાં સુધી સારી રીતે શેકો.
હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરો.
લીલા વટાણા અને જરૂર મુજબ પાણી ઉમેરી વટાણા નરમ થાય ત્યાં સુધી રાંધો.
હવે તેમાં પનીરના ટુકડા, કસૂરી મેથી અને 2 ચમચી મલાઈ ઉમેરી હળવેથી મિક્સ કરો.
2 મિનિટ સુધી ધીમા તાપ પર રાંધો અને પછી ગેસ બંધ કરી દો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ