Webdunia - Bharat's app for daily news and videos

Install App

Indonesian Plane Missing: જકાર્તાથી ઉડાન ભર્યા પછી ઈંડોનેશિયામાં યાત્રી વિમાન લાપતા, 62 લોકો હતા સવાર

Webdunia
શનિવાર, 9 જાન્યુઆરી 2021 (18:50 IST)
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યા પછી, શનિવારે શ્રીવિજય એરના જેટ પેસેન્જર વિમાનના એર ટ્રાફિક કંટ્રોલર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ સ્થાનિક ફ્લાઇટમાં 62 લોકો સવાર હતા. અધિકારીઓએ આ માહિતી આપી.
 
ઇન્ડોનેશિયાના પાટનગર જકાર્તાથી ઉડાણ ભરનાર એક પૅસેન્જર પ્લેન, જેની પર 50 મુસાફરો સવાર હતા, તે ગુમ થયું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ કાલિમતન પ્રાંતમાં આવેલ પૉઇન્ટેનૅક જઈ રહેલા શ્રીવિજયા ઍર બોઇંગ 737 વિમાને સંપર્ક ગુમાવ્યો હતો.
 
ફ્લાઇટ ટ્ર્રૅકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર24 ડોટ કૉમે કહ્યું કે વિમાને એક મિનિટમાં 3000 મિટર (10,000 ફૂટ)ની ઊંચાઈ ગુમાવી હતી. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર શોધ અને બચાવ માટેના પ્રયત્નો ચાલુ છે.
 
શ્રીવિજયા ઍરનું કહેવું છે કે તેઓ આ ઉડાણ વિશે વધુ માહિતી ભેગી કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે લાપતા થયેલ વિમાનથી છેલ્લે સંપર્ક સ્થાનિક સમયાનુસાર બપોરે 2 વાગ્યે 40 મિનિટે થયો હતો.
 
ઇન્ડોનેશિયામાં આ પહેલાં બે મોટી વિમાનદુર્ઘટનાઓ થઈ ચૂકી છે જેમાં 737 મૅક્સ બોઇંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાં હતાં. જોકે શનિવારે જકાર્તાથી ટેક ઑફ કરેલ વિમાન 737 મૅક્સ શ્રેણીનું નથી. ઑક્ટોબર 2018માં ઇન્ડોનેશિયન લાયન ઍરની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી જેમાં 189 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને વિમાનનું કાટમાળ સમુદ્રમાં મળ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments