Webdunia - Bharat's app for daily news and videos

Install App

અલ્જીરિયાના રાષ્ટ્રપતિ બૂતેફ્લિકાએ અંતે રાજીનામું આપ્યું

Webdunia
બુધવાર, 3 એપ્રિલ 2019 (09:28 IST)
અલ્જીરિયાનાં સરકારી મીડિયા અનુસાર રાષ્ટ્રપતિ અબ્દુલઅઝીઝ બૂતેફ્લિકાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમની વિરુદ્ધ ઘણા સમયથી સમગ્ર દેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં હતાં.
 
વિરોધીઓએ તેમની પાસે દેશના રાજકીય માળખામાં મૂળભૂત ફેરફાર કરવાની માગ કરી હતી.
 
82 વર્ષના બૂતેફ્લિકા છેલ્લાં 20 વર્ષથી સત્તા પર છે. તેઓ એક દાયકાથી વધુ સમય સુધી દેશના વિદેશમંત્રી પણ રહી ચૂક્યા છે.
 
1999થી તેઓ સત્તામાં હતા, તેમનું મુખ્ય કામ દેશ અને અર્થવ્યવસ્થાનું પુનર્નિર્માણ કરવાનું હતું. તે પહેલાં તેમને અલ્જીરિયામાં ગૃહ-યુદ્ધ ખતમ કરવાનું હતું.
 
બૂતેફ્લિકાને છ વર્ષ પહેલાં હાર્ટઍટેક આવ્યો હતો, તેથી તેઓ જાહેર જીવનમાં ગેરહાજર રહેવા લાગ્યા હતા.
 
બૂતેફ્લિકા પહેલાં જ કહી ચૂક્યા હતા કે, તેઓ આગામી ચૂંટણી નહીં લડે તેમજ 28 એપ્રિલે પોતાનો કાર્યકાળ પૂરો થતાં સત્તા છોડી દેશે.
 
વિરોધીઓ માટે આ પૂરતું નહોતું, તેમણે તુરંત રાજીનામાની માગ કરી અને અલ્જીરિયાની સેનાએ તેમને રાજીનામું આપવા કહ્યું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments