Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે ? જાણો તેના પાછળનું સાયન્ટીફીક કારણ

mosquito bites itching
mosquito bites itching
ઉનાળા અને ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ત્રાસ  વધી જાય છે. સાંજ પડતાં જ તેઓ ઘરોમાં ધામા નાખીને કરડે છે. જ્યારે આ નાના દેખાતા મચ્છર તમને કરડે છે, ત્યારે તેઓ ખંજવાળ અને બળતરા પેદા કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મચ્છર કરડવાથી તીવ્ર ખંજવાળ અને નાનો લાલ ફુગ્ગો કેમ બને છે? અહીં, અમે આ પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ.

1 લાળને કારણે

જ્યારે માદા મચ્છર આપણી ત્વચા પર બેસે છે, ત્યારે તે આપણી ત્વચામાં પોતાનો ડંખ દાખલ કરે છે. લોહી ચૂસતા પહેલા, મચ્છર પોતાની લાળ આપણી ત્વચામાં છોડે છે. આ લાળમાં ખાસ એન્ટીકોએગ્યુલન્ટ્સ અથવા એન્ટિ-કોગ્યુલન્ટ પ્રોટીન હોય છે. તેમનું કાર્ય લોહીને ગંઠાઈ જવાથી અટકાવવાનું છે જેથી મચ્છર કોઈપણ અવરોધ વિના સરળતાથી લોહી ચૂસી શકે.
 

2. આપણી રોગપ્રતિકારક શક્તિનું એક્ટીવ થવું 

મચ્છરની લાળ આપણા શરીરના સંપર્કમાં આવતાની સાથે જ આપણી રોગપ્રતિકારક શક્તિ તરત જ સતર્ક થઈ જાય છે. શરીરને ખ્યાલ આવે છે કે કોઈ બહારનો અને હાનિકારક પદાર્થ પ્રવેશી ગયો છે. આ હુમલાથી બચવા માટે, આપણી રોગપ્રતિકારક શક્તિ હિસ્ટામાઇન નામનું રસાયણ છોડે છે.
webdunia
mosquito bites itching

૩. ખંજવાળ અને સોજોનું વાસ્તવિક કારણ

તે હિસ્ટામાઇન છે જે ખંજવાળ અને સોજો માટે જવાબદાર છે. હિસ્ટામાઇન કરડેલા વિસ્તારની આસપાસની બ્લડ વેસલ્સ ફેલાવી દે છે.   આ વિસ્તારમાં લોહીનો પ્રવાહ વધારે છે, જેના પરિણામે લાલ ચક્કો અને સોજો આવે છે. હિસ્ટામાઇન તે વિસ્તારની નસોને ઉત્તેજિત કરે છે, મગજને સતત સંકેત મોકલે છે કે કંઈક ખોટું છે. આ સિગ્નલને કારને આપણને તે વિસ્તારમાં તીવ્ર ખંજવાળ આવે છે.  

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અકબર-બીરબલની વાર્તા: મીઠી સજા