Publish Date: Wed, 10 Jun 2026 (06:58 IST)
Updated Date: Wed, 10 Jun 2026 (07:06 IST)
ઉનાળામાં આકારો તાપ, ગરમ હવા, ધૂળ, પ્રદૂષણ, વાવાઝોડું અને મોબાઇલ ફોન અથવા લેપટોપનો લાંબા સમય સુધી ઉપયોગ આંખોનો થાક, બળતરા અને શુષ્કતા વધારી શકે છે. તમારૂ યોગ્ય ડાયેટ આંખોને કુદરતી રાહત આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોસમી ફળો અને શાકભાજી માત્ર આંખોને ઠંડક જ નથી આપતા પરંતુ આ ખોરાક આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવા આવશ્યક પોષક તત્વો પણ પૂરા પાડે છે.
તરબૂચ: તરબૂચને ઉનાળાના સૌથી ફાયદાકારક ફળોમાંનું એક માનવામાં આવે છે. તેમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી શરીર અને આંખોને હાઇડ્રેટ રાખવામાં મદદ મળે છે. તેમાં વિટામિન A અને લાઇકોપીન પણ હોય છે, જે આંખના કોષોને નુકસાનથી બચાવે છે.
કાકડી: કાકડી શુષ્કતા અને બળતરા ઘટાડવામાં પણ અસરકારક છે. તેના ઠંડક અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો રાહત આપે છે. આ ફળ શરીરમાં ભેજ જાળવી રાખે છે, જેના કારણે લોકો ઘણીવાર તેમની આંખો પર કાકડીના ટુકડા લગાવે છે.
કેરી, પપૈયા અને તરબૂચ: કેરી, પપૈયા અને તરબૂચમાં વિટામિન A અને બીટા-કેરોટીન સારી માત્રામાં હોય છે, જે આંખોનો થાક ઘટાડવામાં મદદ કરે છે.
નારંગી અને મોસંબી : નારંગી અને મોસંબી જેવા ખાટાં ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોની રક્તવાહિનીઓને મજબૂત બનાવે છે.
તમારા આહારમાં આ શાકભાજીનો સમાવેશ કરો:
લીલા શાકભાજી: પાલક, મેથી અને અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી આંખો માટે અત્યંત ફાયદાકારક છે. તેમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા પોષક તત્વો હોય છે, જે આંખના સ્વાસ્થ્યમાં મદદરૂપ થાય છે.
ગાજર અને ટામેટાં: ગાજરને ઘણીવાર આંખના સ્વાસ્થ્ય માટે પ્રથમ પસંદગી માનવામાં આવે છે. શરીરમાં પ્રવેશતા જ તેનું બીટા-કેરોટીન વિટામિન Aના સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, જે શુષ્કતા અને નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે. ટામેટાંમાં રહેલું લાઇકોપીન અને વિટામિન સી આંખના થાકને દૂર કરવામાં મદદ કરે છે.
કેપ્સિકમ અને બ્રોકોલી: કેપ્સિકમ અને બ્રોકોલી પણ આંખના પોષણ માટે ખૂબ જ ઉપયોગી શાકભાજી છે. પૂરતું પાણી પીવું અને સ્ક્રીન ટાઈમ ઘટાડવો એ આંખની સુરક્ષા માટે પણ એટલંક જ મહત્વપૂર્ણ છે.