Publish Date: Sun, 14 Nov 2021 (10:29 IST)
Updated Date: Sun, 14 Nov 2021 (10:27 IST)
ડાયબિટીસનુ કનેકશન હાર્ટ ડિસીસ ,કિડની ફેલ્યોર અને સ્ટ્રોક સાથે જ નહી પણ દાંત સાથે પણ છે. એક અભ્યાસ મુજબ મધુમેહ દર્દીઓના દાંત જલ્દી તૂટી જાય છે. એમાં પૂર્ણ દંતહીન હોવાની આશંકા બીજા લોકો કરતાં બમણી હોય છે.
કારણ
બ્લડ શુગરની ઉચ્ચ માત્રાને કારણ મસૂઢો સુધી પોષક તત્વ પહુચી શકતા નથી. મસઢાની ટીશૂજથી વેસ્ટ પ્રાડક્ટનું ઉત્સર્જન અવરોધાય છે. એમાં દર્દી પીરિયોડાલ ડિસીસથી પીડિત થઈ જાય છે અને તેના દાંત અસમય ખરવા લાગે છે.
સાવધાની
મધુમેહના દર્દીએ દિવસમાં બે વાર બ્રશ કરવો જોઈએ. વર્ષમાં 3-4 વખત મસૂઢાની સફાઈ કરાવો. ખાંડવાળા સ્નેક્સ ન ખાશો. સફરજન કે ગાજર જેવા કાચા ફળ ખાવા જોઈએ. આ દાંતોને સાફ પણ કરશે અને તમને સ્વસ્થ પણ રાખશે.