Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ

nirjala ekadashi
, શુક્રવાર, 6 જૂન 2025 (01:00 IST)
nirjala ekadashi
નિર્જલા એકાદશી, જેને ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશી પર રાખવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરનારાઓ પાણી પીધા વિના કે ભોજન કર્યા વિના ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે. આ ઉપવાસ ખાસ કરીને મુશ્કેલ છે કારણ કે તેમાં પાણી કે ખોરાકનો ઉપયોગ થતો નથી. એટલા માટે તેને નિર્જળા વ્રત કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ અને શાંતિ રહે છે. ઉપરાંત, આ વ્રત પરિવારના સભ્યો સાથે મળીને મનાવવામાં આવે છે, જે સંબંધોમાં સ્નેહ અને વિશ્વાસને મજબૂત બનાવે છે. આ ખાસ પ્રસંગે, લોકો એકબીજાને તેમના સંબંધીઓ, મિત્રો અને પરિવારને શુભેચ્છા સંદેશ મોકલે છે જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ અને સમૃદ્ધિ તેમના જીવનમાં પણ રહે. આ ઉપવાસ ફક્ત ધાર્મિક દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે પરિવાર અને સમાજમાં પ્રેમ અને એકતા પણ વધારે છે.
 
Nirjala ekadashi wishes in Gujarati 

webdunia
Nirjala Ekadashi 2025
1. ભગવાન વિષ્ણુની કૃપાથી મારા 
  તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને 
  શાંતિનુ આગમન થાય 
  નિર્જલા એકાદશીની હાર્દિક શુભકામનાઓ 
 
webdunia
Nirjala Ekadashi 2025
2. સર્વેશ્વર શ્રી વિષ્ણુની કૃપા 
  તમારા પર બની રહે 
  તમારુ જીવન સુખ શાંતિ અને 
  સમૃદ્ધિથી પરિપૂર્ણ રહે 
  નિર્જલા એકાદશીની શુભકામનાઓ 
 
webdunia
Nirjala Ekadashi 2025
3. એકાદશીનુ વ્રત તમારા જીવનમાં 
  શાંતિ સુખ અને સમૃદ્ધિ લાવે 
   ભગવાન વિષ્ણુની કૃપાથી 
   તમારા મનની દરેક ઈચ્છા પૂરી થાય 
    એકાદશીની હાદિર્ક શુભકામનાઓ  
webdunia
Nirjala Ekadashi 2025
4. નિર્જલા વ્રતથી મળે પુણ્ય મહાન 
  હરિ નામથી પાવન થાય દરેક સ્થાન 
  ભક્તિથી જીવન રહે નિર્મલ અને સાચુ 
  તમને અને તમારા પરિવારને એકદશીની શુભેચ્છા 
 
webdunia
Nirjala Ekadashi 2025
5. સંયમ, ભક્તિ અને શ્રદ્ધાનો પર્વ છે આજે 
   હરિ ભક્તિમાં લીન રહે આ જીવનનુ રહસ્ય 
   શાંતિ અને સદ્દભાવની થાય અનુભૂતિ 
   તમને અને તમારા પરિવારને શુભ એકાદશી 
webdunia
Nirjala Ekadashi 2025
 6.  નિર્જલા વ્રતનુ પાલન કરો સાચા મનથી 
     મેળવો આશીર્વાદ પ્રભુના ચરણોના દર્શનથી 
     મન રહે શાંત  જીવનમાં આવે અજવાશ 
     એકાદશીની શુભકામનાઓ વારંવાર 
     
webdunia
Nirjala Ekadashi 2025
7.  વ્રતનો દિવસ છે, કરો હરિનુ ધ્યાન 
     મેળવો પ્રભુ પાસે મોક્ષ અને કલ્યાણ 
     બધા દુખોનો અંત અહી જ 
    આપ સૌને નિર્જલા એકાદશેની શુભકામનાઓ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Nirjala Ekadashi Pani Na Niyam: નિર્જળા એકાદશી પર પાણી પીવું જોઈએ કે નહીં? નિયમો શું કહે છે તે જાણો, સમય જુઓ