Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ration Card: સરકારે આપ્યો મોટો ઝટકો, રદ્દ થશે લાખો રેશન કાર્ડ, તૈયાર થઈ ગઈ આખુ લિસ્ટ

Webdunia
મંગળવાર, 8 નવેમ્બર 2022 (19:00 IST)
Ration Card List: રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. જો તમે પણ રાશન કાર્ડ ધારક (Ration Cardholder) છો તો ટૂંક સમયમાં તમારું કાર્ડ પણ રદ  (Ration card cencellation) થવાનુ છે. કેન્દ્ર સરકાર તરફથી મળેલી માહિતી મુજબ દેશભરમાં લાખો લોકોના રેશનકાર્ડ રદ કરવામાં આવશે. હવે દેશના લાખો લોકોને મફત રાશનની સુવિધા નહીં મળે.
 
10 લાખ કાર્ડ રદ થશે
સરકારે કહ્યું છે કે દેશમાં લગભગ 10 લાખ લોકો નકલી રીતે ફ્રી રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. આ તમામ લોકોના રેશનકાર્ડ રદ કરવામાં આવશે. લગભગ 10 લાખ લોકોના રાશન કાર્ડને ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ કાર્ડ ટૂંક સમયમાં રદ કરવામાં આવશે. સરકારે તેની યાદી તૈયાર કરી છે.
 
80 કરોડ લોકોને મફત રાશન મળી રહ્યું છે
તમને જણાવી દઈએ કે જે લોકોના કાર્ડ નકલી મળી આવ્યા છે તેમની પાસેથી પણ સરકાર પાસેથી વસૂલાત કરવામાં આવશે. હાલમાં દેશભરમાં લગભગ 80 કરોડ લોકો મફત રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. અયોગ્ય રેશનકાર્ડ ધારકોને મફતમાં ઘઉં, ચોખા અને ચણા નહીં મળે.
 
 ડીલરને મોકલવામાં આવશે લિસ્ટ 
સરકારે કહ્યું છે કે તમામ અયોગ્ય લોકોની સંપૂર્ણ યાદી ડીલરને મોકલવામાં આવશે. આ પછી ડીલરો આ લોકોને રાશન નહીં આપે. ડીલરો નામો ચિહ્નિત કરશે અને આવા કાર્ડ ધારકોનો રિપોર્ટ જિલ્લા મુખ્યાલયને મોકલશે. જે બાદ તેમના કાર્ડ રદ કરવામાં આવશે.
 
કોના કાર્ડ થશે રદ્દ 
NFSA  તરફથી મળેલી માહિતી મુજબ જે કાર્ડ ધારકો આવકવેરો ભરે છે અથવા જેમની પાસે 10 વીઘાથી વધુ જમીન છે તેમના નામ યાદીમાંથી રદ કરવામાં આવશે. આવા લોકોને મફત રાશન નહીં મળે. તે જ સમયે, કેટલાક લોકો એવા છે જે મફત રાશનનો વ્યવસાય કરે છે. આવા લોકોની ઓળખ પણ કરવામાં આવી છે. આ લોકોના કાર્ડ પણ રદ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતને મળી 20 નવી વોલ્વો બસ, એરક્રાફટ, સબમરીન જેવી સુવિધાઓ મળશે

રાહુલ ગાંધીને આતંકવાદી કહેવા પર હોબાળો, કોંગ્રેસીઓ રસ્તા પર ઉતરી આવ્યા

'તિરુમાલા પ્રસાદમાં જાનવરોની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપોએ ખળભળાટ મચાવ્યો

મુઝફ્ફરપુરમાં મોટી રેલ દુર્ઘટના, માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, ખળભળાટ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

આગળનો લેખ
Show comments