Webdunia - Bharat's app for daily news and videos

Install App

FM Nirmala Sitaraman Live: કોવિડથી પ્રભાવિત સેક્ટર્સ માટે 1.1 લાખ કરોડના લોન ગેરંટી સ્કીમનુ એલાન

Webdunia
સોમવાર, 28 જૂન 2021 (16:57 IST)
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman)કોરોના સંકટને કારણે ઉભા થયેલા આર્થિક પડકારનો સામનો કરવા માટે  Covid-19 કોવિડથી પ્રભાવિત સેક્ટર્સ માટે 1.1 લાખ કરોડના લોન ગેરંટી સ્કીમનુ એલાન કર્યુ છે. આ યોજના હેઠલ હેલ્થ કેયર સેક્ટરને 50000 કરોડ અને બીજા સેક્ટર્સ માટે 60000 કરોડ રૂપિયાની લોન ગેરંટીની જાહેરાત કરી છે. 
 
આ સાથે જ નાણાકેયે મંત્રીએ 1. 5 લાખ કરોડ રોપિયાના એડિશનલ ઈમરજેંસી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ (Emergency Credit Line Guarantee Scheme-ECLGS) ની જાહેરાત કરી છે, જેનુ સેક્ટર વાઈઝ એલોકેશન જરૂરિયાતના હિસાબથી ફાઈનલાઈઝ કરવામાં આવશે. 
 
હેલ્થકેર માટે જે 50,000 રૂપિયાની ની લોન ગેરેંટી મળશે, તેમા કવરેજ 50% એક્સપૈશન માટે મળશે અને 75% ગેરંટી કવરેજ નવા પ્રોજેક્ટ્દ માટે મળશે. તેમા 3 વર્ષ માટે 100 કરોડ રૂપિયાની અધિકતમ લોન મળશે. 
 
લોન ગેરંટી સ્કીન હેઠળ આરોગ્ય ક્ષેત્ર માટે મહત્તમ 100 કરોડની મહત્તમ લોન રકમ રાખવામાં આવી છે. જ્યારે આના પર મહત્તમ વ્યાજ દર 7.95 ટકા રહેશે. બીજી બાજુ અન્ય સેક્ટર માટે  મહત્તમ વ્યાજ દર 8.25% રાખવામાં આવ્યો છે. જરૂરિયાત મુજબ તેનું કવરેજ બદલવામાં આવશે.  ગેરંટી વિના સામાન્ય વ્યાજ દર 10 થી 11% છે.
 
- ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ, કોવિડથી પ્રભાવિત 25 લાખથી વધુ લોકોને 3 વર્ષ માટે 1.25 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. આ લોન પર વસૂલવામાં આવતા વ્યાજ દર બેંકો માટે નક્કી કરેલા એમસીએલઆર કરતા 2% વધારે હશે. 25 લાખ લોકોને આ લોનનો લાભ માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ દ્વારા મળશે.
 
- નાણાં પ્રધાને આ રાહત પેકેજ દ્વારા મુસાફરી અને પર્યટન ક્ષેત્રના 11,000 નોંધાયેલા પર્યટન માર્ગદર્શિકાઓ અને ભાગીદારોને આર્થિક સહાયની જાહેરાત કરી છે. માન્યતા પ્રાપ્ત ગાઈડ્સને રૂ. 1 અને માન્યતા પ્રાપ્ત ટ્રાવેલ એંડ ટુરીઝમના સ્ટેકહોલ્ડર્સને 10 લાખ સુધીની સુધીની 100 ટકા ગેરંટેડ લોન મળશે. તેના પર કોઈ પ્રોસેસિંગ ફી નહી રહે. 
 
- 5 લાખ પ્રવાસીઓને ફ્રી ટુરિસ્ટ વિઝા મળશે. વિદેશી પર્યટકોને જ્યારે વિઝા મળવાનું શરૂ થશે ત્યારે સૌથી પહેલા જે 5 લાખ ટુરિસ્ટ ભારત આવશે, તેમને ફ્રી વીઝા મળશે.  આ યોજના પહેલા 5 લાખ પર્યટકો સુધી સીમિત રહેશે કે પછી 31 માર્ચ 2022 સુધી લાગુ રહેશે. તેનો નાણાકીય ભાર સરકાર પર 100 કરોડ રૂપિયા પડશે. 
 
- Aatmanirbhar Bharat Rozgar Yojana આ અંતર્ગત કર્મચારીઓ અને એમ્પ્લોયર કંપનીઓને મળનારો EPF સપોર્ટ હવે 31 માર્ચ, 2022 સુધી મળશે. તે આગળ વધારવામાં આવ્યું છે. આ યોજના ઓક્ટોબર 2020 માં શરૂ કરવામાં આવી હતી. 58.50 લાખ લોકોને આ યોજનાનો લાભ મળશે, જેના માટે 22,810 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 છે.
 
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજના હેઠળ, NFSA લાભાર્થીઓને નવેમ્બર 2021 સુધી 5 કિલો મફત અનાજ મળવાનું ચાલુ રહેશે. આ માટે સરકાર કુલ 2,27,841 કરોડ ખર્ચ કરશે.
 
- નાણાંમંત્રીએ 85,413 કરોડ રૂપિયાના બજેટ વહેચણી પર 14,775  કરોડની રૂપિયાની વધારાની ફર્ટિલાઈઝર સબસિડીની જાહેર કરી હતી. એક્સપોર્ટ્સના પ્રોજેક્ટસને પ્રોત્સાહિત કરવા માટે નેશનલ એકસપોર્ટ ઈશ્યોરેંસ એકાઉંટ દ્વારા 33000 કરોડના યોજનાનુ પણ એલાન કર્યુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments