Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં કામ કરનાર મજૂરની પુત્રીના એકાઉન્ટમાં ટ્રાંસફર થયા 10 કરોડ રૂપિયા

Webdunia
બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (11:14 IST)
અમદાવાદમાં કામ કરનાર એક મજૂરને તે સમયે આંચકો લાગ્યો જ્યારે તેની પુત્રીએ તેને જણાવ્યું કે તેના ખાતામાં 10 કરોડ રૂપિયા જમા થઇ ગયા છે. તે વ્યક્તિ યૂપીનો રહેવાસી છે પરંતુ અમદાવાદની એક ગેરેજમાં કામ કરે છે અને પોતાના પરિવારને પૈસા મોકલે છે. 
 
બલિયામાં સાઇબર ક્રાઇમનો આ કેસ સામે આવ્યો છે. અહીં સાધારણ પરિવારની છોકરીના ખાતામાં કોઇએ લગભગ દસ કરોડ રૂપિયાની રકમ ટ્રાંસફર કરી દીધી. જ્યારે છોકરીને જાણકારી મળી તો તેના માટે પરેશાની ઉભી થઇ ગઇ. પોલીસમાં ફરિયાદ કર્યા બાદ એકાઉન્ટ ફ્રીજ કરવા વિચારણા કરવામાં આવી રહી છે. 
 
9 કરોડ 99 લાખ ટ્રાંસફર કર્યા
કહેવામાં આવી રહ્યું છે કે રૂકુનપુરા ગામના નિવાસી સરોજનું અલ્હાબાદ બેંકના બાંસહીહ બ્રાંચમાં એકાઉન્ટ છે. તેના ખાતામાં કોઇએ 9 કરોડ 99 લાખ રૂપિયા કહ્યા વિના ટ્રાંસફર કરી દીધા. સાધારણ પરિવારની સરોજના ખાતામાં આટલી મોટી રકમની જાણકારી થતાં તેના હોશ ઉડી ગયા. કેસની જાણકારી થતાં થતાં જ પરિવાજનોએ લેખિત ફરિયાદ પર પોલીસ વિચારણા કરી દોષીઓની શોધખોળ શરૂ કરી રહી છે. 
 
સરોજ ઇલાહાબાદ બેંકની બાંસડીહ શાખામાં 2018માં ખોલાવવામાં આવેલા પોતાના ખાતાની પાસબુક અપડેટ કરી પ્રિંટ કરાવવા સોમવારે બ્રાંચ પહોંચી અહીં તેમને જાણકારી મળી કે કોઇએ તેમના ખાતામાં પૈસા ટ્રાંસફર કર્યા છે. આગળની જાણકારી લેતાં ખબર પડી કે લગભગ 10 કરૉડની રકમ તેમના ખાતામાં ટ્રાંસફર કરવામાં આવી છે. 
 
ફરિયાદમાં સરોજે લખ્યું છે કે બે વર્ષ પહેલાં તેમને કોઇ નીલેશ નામના વ્યક્તિનાએ ફોન કરી આધાર અને કેટલાક અન્ય ડોક્યુમેન્ટ પોસ્ટ દ્વારા મોકલવા માટે કહ્યું હતું બદલામાં તેમને વાયદો કર્યો હતો કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવશે. આ દરમિયાન તેને પોસ્ટ ઓફિસ દ્વારા એટીએમ પણ મળ્યું હતું, જેને નીલેશ પાસે તેના કહ્યા મુજબ મોકલ્યું હતું. 
 
બેંક તરફથી આપવામાં આવેલી પ્રાથમિક જાણકારીમાં તેના ખાતામાં મલ્ટિપલ ટ્રાંસફરની વાત કહેવામાં આવી રહી છે. તો બીજી તરફ નીલેશ કુમારનો સરોજ પાસે ઉપલબ્ધ મોબાઇલ નંબર સ્વિચ ઓફ છે. સરોજ ભણેલી ગણેલી છે. સરોજના પિતા અમદાવાદની ગેરેજમાં નોકરી કરી પરિવારન ભરણ-પોષણ માટે પૈસા મોકલે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments