Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ, રૂા.૧૦૫૫ ના ભાવે ખરીદી કરાઇ

Webdunia
બુધવાર, 28 ઑક્ટોબર 2020 (10:32 IST)
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં રજીસ્ટ્રેશન કરેલા ૧૫ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જે પૈકી ૫ ખેડૂતો આવતા રૂ.૧૦૫૫ના ટેકાના ભાવે તેમની મગફળીની ખરીદી કરાઇ હતી.
 
ખેડૂતોને મગફળીનો પુરતો ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. અને દશેરા પછી એટલે કે આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.
 
ગોડાઉન મેનેજર સોમેશ ઓડેદરાએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે એસએમએસ દ્વારા ૧૫ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ૫ ખેડુતો મગફળી લઇને આવ્યા હતા. જેની મગફળીની ખરીદી કરવામાં આવી હતી. કાલે અન્ય ખેડૂતોને બોલાવવામાં આવશે. ખેડૂતોની મગફળીનું સેમ્પલ લઇ તપાસ કરી બાદમાં તેની ખરીદી કરાઇ છે.
 
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી પી.એસ.ગજેરાએ જણાવ્યું હતું કે, યાર્ડમાં પણ મગફળીની ખરીદી શરૂ છે. છેલ્લા મહિના સુધીમાં ૧ લાખથી વધુ ગુણીની ખરીદી થઇ ચુકી છે. આજે ૫૦૦૦ જેટલી ગુણીની આવક થઇ હતી. યાર્ડનો ભાવ મગફળી જીણી મણના ૭૦૦ થી ૧૦૨૫ અને મગફળી જાડીના ૭૧૦ થી ૧૦૭૬ રૂપિયા સુધીનો છે. યાર્ડમાં આવતા ખેડૂતોને પણ મગફળીનો સારો ભાવ મળી રહેતા આવકમાં દિવસને દિવસે વધારો થઇ રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments