Webdunia - Bharat's app for daily news and videos

Install App

HDFC બેંક પીએમ કૅર્સ ફંડ માટે એકઠું કરશે દાન, એચડીએફસી બેંકે કર્યું રૂ. 150 કરોડનું દાન

Webdunia
ગુરુવાર, 9 એપ્રિલ 2020 (13:33 IST)
કોવિડ-19 રોગચાળા દ્વારા સર્જવામાં આવેલી કોઈ પણ પ્રકારની કટોકટીની કે સંકટની પરિસ્થિતિને પહોંચી વળવાના તથા તેનાથી પ્રભાવિત લોકોને રાહત પૂરી પાડવાના પ્રાથમિક ઉદ્દેશ્યની સાથે રચવામાં આવેલા પીએમ કૅર્સ ફંડ માટે એચડીએફસી બેંકને દાન સ્વીકારવાનું ફરમાન પ્રાપ્ત થયું છે. લોકો હવે તેમના ઘરેથી ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, યુપીઆઈ અને ડિજિટલ બેંકિંગના માધ્યમોથી સરળતાથી તેમાં દાન કરી શકે છે. તેમણે ફક્ત અહીં નીચે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવાની રહેશે છે.
 
https://www.hdfcbank.com/personal/pay/donations
 
કૉર્પોરેટ્સ અહીં નીચે આપવામાં આવેલી વિગતો મારફતે પણ દાન આપી શકે છેઃ
ખાતા નં: 59194700000000
આઈ એફ એસ સી કોડ: HDFC0000011
પીએમઓ પાન નં: AAETP3993P
કલમ 80 (જી) હેઠળ કર ચૂકવવામાંથી મુક્તિ
બ્રાન્ચનો કૉડઃ 0011, વસંત વિહાર, નવી દિલ્હી
 
આ ફંડમાં આપવામાં આવેલ યોગદાનને કલમ 80 (જી) હેઠળ કરમુક્ત ગણવામાં આવશે અને આ સંબંધેની એક ઔપચારિક રસીદને દાન કર્યાના 15-20 દિવસ બાદ પીએમ કૅર્સ પોર્ટલ પરથી ડાઉનલૉડ કરી શકાશે. દાતાઓ ગૂંજ, રેપિડ રીસ્પોન્સ ફોર્સ અને હેલ્પએજ ઇન્ડિયા જેવી અગ્રણી રાષ્ટ્રીય એનજીઓમાં પણ પોતાનું યોગદાન આપી શકે છે.
 
એચડીએફસી બેંકના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરીએ જણાવ્યું હતું કે, ‘અમને આ તક આપવામાં આવી હોવાથી અમે સન્માનિત થયાંની લાગણી અનુભવી રહ્યાં છીએ. હું સૌને તેનો મહત્તમ લાભ લઈ આપણાં જીવનમાં શક્ય એટલો ઓછો વિક્ષેપ સુનિશ્ચિત કરવાના ભારત સરકારના આ મહા પ્રયાસમાં સહાયરૂપ થવાની વિનંતી કરું છું. આપણે વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યાં છીએ. હું માનું છું કે, ભારતે સમયસર પગલાં લીધાં છે અને તેના પરિણામસ્વરૂપ આપણે આ પરીક્ષાની ઘડીમાં વિજેતા તરીકે ઉભરી આવીશું.’
 
આ રોગચાળાને નાબુદ કરવાની દિશામાં ભારત સરકાર દ્વારા લેવામાં આવી રહેલા રાહત અને પુનર્વસનના પગલાંઓમાં સહાયરૂપ થવા એચડીએફસી ગ્રૂપએ પીએમ કૅર્સ ફંડમાં રૂ. 150 કરોડનું દાન આપ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments