Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gold price : સોનુ વધુ થયુ સસ્તુ, હવે 52 હજારના નિકટ પહોચ્યુ, ચેક કરો આજે કેટલો થયો ઘટાડો

Webdunia
બુધવાર, 20 એપ્રિલ 2022 (12:25 IST)
ગ્લોબલ માર્કેટમાં નરમીને કારણે બુધવારે સોના-ચાંદીની કિમંતોમાં ઘટાડો જોવા મળ્યો. સોનુ એકવ્વાર ફરી 53 હજારથી નીચે ઉતરીને 52 હજારના નિકટ આવી ગયુ છે. રોકાણકાર સોનામાંથી પૈસા કાઢીને અમેરિકી ટ્રેઝરીમાં લગાવી  રહ્યા છે જેનુ વ્યાજ દર હાલ વધ્યા છે. 
 
મલ્ટીકમોડિટી એક્સચેંજ (MCX)પર બુધવારે સવારે 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો વાયદા ભાવ 0.69 ટકા ઘટીને  52,383 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. સોનાની વાયદા કિમંત મે ના ભાવમાંથી લેવામાં આવી છે. આ જ રીતે ચા6દી પણ ઘટીને 69 હજારથી નીચે પહોંચી ગઈ. આજે ચાંદીના વાયદા ભાવ 0.82 ટકા તૂટી છે. ચાંદી સવારના વેપારમાં 68,203 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય રહી હતી. 
 
ડૉલરના દબાણમાં ગબડ્યા ભાવ  
વૈશ્વિક બજારમાં યુએસ ડૉલર હાલમાં બે વર્ષની ઊંચી સપાટીએ છે, જેના કારણે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળી રહ્યું છે. તેનું કારણ એ છે કે ડૉલરની મજબૂતાઈને કારણે અન્ય કરન્સીના રોકાણકારો માટે સોનું ખરીદવું મોંઘું થઈ રહ્યું છે. બીજી તરફ યુએસ ટ્રેઝરી બોન્ડની યીલ્ડ વધીને 2.9 ટકા થઈ છે, જેની અસર સોનાની માંગ પર પણ પડી રહી 
 
IMFની ભવિષ્યવાણીથી તૂટ્યો સોનાનો ભાવ 
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ મંગળવારે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વિકાસ દર સુસ્ત રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. IMFએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા 3.8 ટકાના બદલે 3.6 ટકાના દરે વૃદ્ધિ પામશે. આ પછી, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને પીળી ધાતુની માંગ પણ વધી. IMFએ પણ ફુગાવામાં વધારાની આગાહી કરી હતી, જેના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયો હતો, કારણ કે તેની માંગ સુસ્ત બની હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

આગળનો લેખ
Show comments