Publish Date: Tue, 01 Aug 2017 (13:43 IST)
Updated Date: Tue, 01 Aug 2017 (14:04 IST)
શ્રાવણ મહીના આવતા જ બંગડીઓનો વેચાણ વધી જાય છે. પણ તેમાં પણ ખાસ કરીને લીલા રંગની બંગડીઓની માંગણી વધારે રહે છે. આ જ કારણ છે કે બંગડી વેચનાર શ્રાવણમાં લીલા રંગની બંગડીઓની કીમત વધારે નાખે છે.
મહિલાઓ શ્રાવણમાં લીલા રંગની બંગડીઓ તો પહેરે છે, પણ તેના મહત્વ અને ફાયદા નહી જાણતી. કેટલીક મહિલાઓ તો જોવા-જોઈ બંગડી પહેરે છે પણ શું છે તેના કારણ જો તમે નહી જાણતા તો આજે વેબદુનિયા ગુજરાતી તમને આ રહ્સ્ય જણાવશે.
શ્રાવણનો મહીનો પ્રકૃતિના સૌંદર્યનો મહીનો હોય છે. શાસ્ત્રોમાં મહિલાઓને પણ પ્રકૃતિના રૂપમાં જ ગણાયું છે. શ્રાવણમાં વરસાદના ટીંપાથી ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. જ્યાં જુઓ ત્યાં લીલો નજર આવે છે. તેનાથી આંખને પણ શાંતિ મળે છે. તેથી પ્રકૃતિના રંગમાં રંગવા માટે મહિલાઓ પણ મેહંદી લગાવે છે સાથે જ લીલા કપડા અને લીલી બંગડીઓ પહેરે છે.
આ મહીનામાં સોહાગણ મહિલાઓ માટે ઘણા તહેવાર આવે છે. જેમાં કજલી ત્રીજ, હરિયાળી ત્રીજ, કેવડા ત્રીજ શામેળ છે. આ તહેવારોની શરૂઆત જ લીલા કપડા અને બંગડી પહેરવાના નિયમ છે.
શાસ્ત્રોની માનીએ તો શ્રાવણ મહીનામાં લીલા રંગના કપડા પહેરવાથી સૌભાગ્યમાં વધારો હોય છે અને પતિ-પત્નીમાં પ્રેમ વધે છે. લીલા રંગ ઉપજ્નો પ્રતીક ગણાય છે. આ મહીનામાં પ્રકૃતિમાં થયેલ ફેરફારથી હાર્મોંસમાં પણ ફેરફાર હોય છે. જેનો પ્રભાવ શરીર અને મન પર પડે છે. જે સ્ત્રી પુરૂષમાં કામ-ભાવનાને વધારે છે.
webdunia
Publish Date: Tue, 01 Aug 2017 (13:43 IST)
Updated Date: Tue, 01 Aug 2017 (14:04 IST)