Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vidhansabha Seat - રાધનપુર બેઠક પર નવા જુની થાય તેવા એંધાણ, કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારને ટિકીટ આપવા માંગ

Webdunia
મંગળવાર, 20 સપ્ટેમ્બર 2022 (12:18 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ દાવેદારી માટે બેઠકોનો દોર પણ શરુ થવા લાગ્યો છે. ત્યારે રાધનપુર વિધાનસભા બેઠકો વર્ષોથી કોગ્રેસનું ગઢ માનવામાં આવે છે અને હાલ પણ આ બેઠક પર કોગ્રેસના ફાળે રહી છે. ત્યારે આગામી વિધાનસભા 2022ની ચૂંટણીને લઇ કોગ્રેસમાં છૂપો જૂથવાદ સામે આવવા લાગ્યો છે.  હવે ચૂંટણીમાં દાવેદારીને લઈ સ્થાનિક ઉમેદવારની માંગ સાથે કોગ્રેસના અગેવાનો દ્વારા બેઠક યોજવામાં આવી હતી. જેને લઇ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે ટિકિટ મેળવવા માટે જ્ઞાતિ પ્રમાણે બેઠકોનો દોર ધમ ધમતો થયો છે. ત્યારે પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠક વર્ષોથી કોગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને આ બેઠક પર ઠાકોર, આહીર, મુસ્લિમ સમાજનું પ્રભુત્વ રહ્યું છે જેને પરિણામે રાધનપુર વિધાનસભા બેઠક કોગ્રેસના ફાળે રહી છે. ત્યારે હવે આગામી વિધાનસભા ચૂંટણીને લઇ રાધનપુર બેઠક પર કોગ્રેસ સામે કોગ્રેસના અગેવાનોનો છૂપો રોષ સામે આવ્યો છે અને અગામી ચૂંટણીમાં રાધનપુર બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે કોગ્રેસના અગેવાનોની બેઠક રાધનપુર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ઠાકોર, આહીર, રબારી સમાજના અગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુર બેઠક પર કોગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉચારવામાં આવી હતી. આ બેઠકમાં આહીર સમાજના અગ્રણી ભચાભાઈ આહીરે જણાવ્યું કે રાધનપુરમાં કોંગ્રેસને જીતાડવા અમારી અહમ ફાળો છે તો આ સમયે સ્થાનિક ઉમ્મેદવારને પાર્ટી ટિકિટ આપે એવી અમારી માંગ છે. કોગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીમાં જે ઉમેદવાર મૂકે તેને ટેકો આપવની પણ તૈયારી પણ કોગ્રેસના અગેવાનો એ દર્શાવી હતી. પણ એક વાત ચોક્કસ છે કે, જયારે ચૂંટણી આવતી હોય ત્યારે પાર્ટીમાં દરેક જગ્યાએ ટિકિટો લેવા માટે લાઈનો લાગી જતી હોય છે જયારે રાધનપુર વિધાનસભામાં પણ કોંગ્રેસ માટે એવું જ કઈ સામે આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments