Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jamkandorana Assembly Seat - સૌરાષ્ટ્રની ચાર પાટીદાર બેઠકો પર વડાપ્રધાન મોદીની સભા સીધી જ અસર કરશે

વૃષિકા ભાવસાર
મંગળવાર, 11 ઑક્ટોબર 2022 (12:35 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા PM નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.વડાપ્રધાન મોદીનો આજે ત્રીજો દિવસ છે. મોદી આજે જયેશ રાદડિયાના ગઢમાં જંગી સભા સંબોધવા જઈ રહ્યા છે.પીએમની સભાથી રાજકોટ જિલ્લાની 4 બેઠકો પર સીધી અસર થશે. જેમાં ધોરાજી-ઉપલેટા, જેતપુર જામ કંડોરણા, ગોંડલ, રાજકોટ ગ્રામ્યની બેઠકનો સમાવેશ થાય છે.


જામકંડોરણા ભૌગોલિક રીતે સૌરાષ્ટ્રનું કેન્દ્રબિંદુ છે. રાજકોટ જિલ્લામાં આવેલા જામકંડોરણામાં પીએમ મોદીની સભાથી રાજકોટ જિલ્લાની 4 બેઠકોને સીધી અસર થઈ શકે છે. તમામ બેઠક પર લેઉઆ પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે. સૌરાષ્ટ્રનું કેપિટલ ભલે રાજકોટ કહેવાય પણ સૌરાષ્ટ્રનું પોલિટિકલ એપિસેન્ટર તો જામકંડોરણા જ રહ્યું છે. રાજકોટથી 75 કિલોમીટર દૂર આવેલ પાટીદાર સમાજના કદાવર નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાનું વતન જામકંડોરણામાં સાત જિલ્લાની જનતા સરળતાથી પહોંચી શકે છે. અહીં રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી અને ભાવનગરના લોકો સરળતાથી પહોંચી શકે છે. આ સાતેય જિલ્લાઓમાં પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. બીજુ જામકંડોરણાથી લેઉવા પટેલ સમાજના કુળદેવીનું મંદિર ખોડલધામ 50 કિલોમીટરના અંતરે આવેલું છે, તો કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર સીદસર 54 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ઉપરાંત જૂનાગઢના ગાઠિલા ગામમાં આવેલું ઉમિયા માતાજીનું મંદિર પણ જામકંડોરણાથી 60 કિલોમીટરના અંતરે આવેલું છે. જામકંડોરણામાં સભા થાય તો આ બેઠકો પર  તેની સીધી અસર થઈ શકે છે.આ કારણોસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી સભા માટે જામકંડોરણાની પસંદગી કરી હોવાનું કહેવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments