Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીલે અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટિકીટ આપવાનું કહેતા કકળાટ શરૂ થયો

Webdunia
શનિવાર, 8 ઑક્ટોબર 2022 (14:07 IST)
રાધનપુરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ જંગ જામ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુરની બેઠક પરથી હારનાર અલ્પેશ ઠાકોરનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. અલ્પેશ ઠાકોરના વિરોધમાં સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનોનું બીજી વાર સંમેલન મળવા જઈ રહ્યું છે. તો પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે અલ્પેશ ઠાકોરના વિરોધમાં તીખી પ્રતિક્રિયા આપી છે.

અલ્પેશ ઠાકોરના વિરોધમાં પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરની તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમારો અલ્પેશ ઠાકોર સામે પૂરતો વિરોધ છે.પરંતુ ભાજપ સામે કોઈ વિરોધ નથી. અલ્પેશ ઠાકોર ટિકિટ લઈને આવશે તો બીજી વાર હારશે.તેમણે વધુમાં કહ્યું કે, ત્રણ તાલુકાને જોડતું આ વિધાનસભાનું સંમેલન છે. જેમાં ભાજપના વિરુદ્ધની કોઈ વાત નહિ થાય. અમારે એક જ મુદ્દો છે કે સ્થાનિક ઉમેદવાર જોઈએ. અમારી માંગ સ્થાનિક ઉમેદવાર માટેની છે. કારણ કે, અલ્પેશ ઠાકોર જ્યારે આવે ત્યારે તેમની સેનાના 2000 માણસોને બોલાવે અને તેમને મળીને જતા રહે છે. તે વિસ્તારના આગેવાનોને પૂછતો નથી, તેમને ઓળખતો પણ નથી. પાંચ વર્ષોમાં કોઈ દિવસ ફોન કર્યો નથી. મરજીની જેમ વહેવાર કરે છે. હવે તેમણે રાજકારણ છોડી દીધું છે. હવે તો તેમણે કહ્યું કે, મારે રાધનપુરને પરણવુ છે. આ નિવેદન વાજબી ન ગણાય. પરણવાની વાત રાજકીય ન ગણાય, એ તો બહેન-દીકરીને પરણવાની વાત હોય તેવું લાગે. તેથી સમાજમાં તેમના પ્રત્યે રોષ છે. જેથી અમે આ સંમેલન બોલાવ્યું છે. તેમા ભાજપના વિરોધની કોઈ વાત જ નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments