Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે 93 બેઠકો પર ભાજપનું કાર્પેટ બોમ્બિંગ, ભાજપના 13 કેન્દ્રીય અને 4 પ્રદેશ નેતાઓ સભા ગજવશે

Webdunia
મંગળવાર, 22 નવેમ્બર 2022 (09:38 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ બરાબનો જામ્યો છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બંને તબક્કાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. એક તરફ નેતાઓ મતદારોને રીઝવવા ડોર-ટુ-ડોર પ્રચારથી લઈને જનસભાને સંબોધી રહ્યા છે. તો બીજી બાજુ હજુ પણ પક્ષપલટાનો સિલસિલો યથાવત છે.

આજે દિવસભર ભાજપનો ચૂંટણી પ્રચાર ચરમસીમાં પર રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપે પ્રચારનો મહા પ્લાન તૈયાર કર્યો છે. ભાજપના ટોચના નેતાઓ 93 બેઠક પર 93 જનસભા સંબોધશે. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ પ્રચાર થકી જનતાની નજીક પહોંચી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ સોશિયલ મીડિયા
દ્વારા આક્રમક પ્રચાર કરતી જોવા મળી રહી છે. જો કે આ પ્રચંડ પ્રચારની મતદારોના માનસમાં કેટલી અસર થશે,  તે તો ચૂંટણીના પરિણામ જ બતાવશે.વડાપ્રધાન મોદી 19 તારીખથી ગુજરાતના પ્રવાસે હતાં. પરંતુ ફરીવાર આવતીકાલથી તેઓ બે દિવસ ગુજરાત આવશે. 23 નવેમ્બરે તેઓ મહેસાણા, દાહોદ, વડોદરામાં રેલી કરશે. જ્યારે 24 નવેમ્બરે પાલનપુર, દહેગામ, અમદાવાદ ગ્રામ્યમાં સભા ગજવશે.હિમાચલ પ્રદેશના CM જયરામ ઠાકુર, આસામના CM હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ ત્રણ-ત્રણ જનસભાઓ ગજવશે. કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત, અજય ભટ્ટ, કૈલાશ ચોધરી પણ પ્રચાર સભાઓ સંબોધશે.ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે 4 રેલી સંબોધશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments