Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 14 કેન્દ્રીય નેતાઓ 46 સભાઓ ગજવશે

Webdunia
શુક્રવાર, 18 નવેમ્બર 2022 (09:47 IST)
ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠકો માટે ગુરૂવારે ફોર્મ પાછા ખેંચાયા પછી હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. ત્યારે ભાજપે પ્રચારના ભાગરૂપે 89 બેઠકો પર કેન્દ્રીય નેતાઓને ઉતારવા માટેની રણનીતિ બનાવી છે. રાજ્યમાં 14 કેન્દ્રીય નેતાઓ 46 જનસભાઓ ગજવશે. જ્યારે રાજ્યના 14 સ્ટારપ્રચારકો 36 મત વિસ્તારોમાં સભાઓ સંબોધશે.

કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર પ્રચાર માટે આજે ભાજપનું કાર્પેટ બોમ્બિંગ થશે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જનસભા કરશે. ભાજપ શક્તિ પ્રદર્શન કરતા એકસાથે 89 દિગ્ગજ નેતાઓને ગુજરાતમાં પ્રચાર માટે બોલાવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે ભાજપે ચૂંટણીના મેદાનમાં નેતાઓની ફોજ ઉતારવાનું આયોજન કર્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી , કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તથા જેપી નડ્ડા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ ગુજરાત આવશે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે.મોરબી પુલ દુર્ઘટના બાદ રાજકીય માહોલ જામતો નથી. ત્યાં આજે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ પ્રચાર કરવાના છે. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, MPના સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે સભા ગજવશે. તે ઉપરાંત અન્ય સ્થળોએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 4 સભાઓ કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી ભારતી પવાર 2 રેલી કરશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 2 રેલી કરશે.યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકની 3 સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાની 3 સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

World Ozone day 2024: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

જો તમને જેલમાં નાખવામાં આવે તો રાજીનામું ના આપો, સરકાર ચલાવો, CM અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

ઈન્દોરમાં એક્ટિવા પર સવાર બદમાશોએ કારમાં મહિલાની છેડતી કરી, પોલીસ તપાસમાં વ્યસ્ત

ઈન્દોરની હોટલમાં સૈનિકે બેંક કર્મચારીની પત્ની પર બળાત્કાર કર્યો, પ્રાઈવેટ પાર્ટમાં કાચનુ ગિલાસ નાખ્યો

ચાલતી ટ્રેનના ટોયલેટમાંથી અવાજો આવી રહ્યા હતા, મુસાફરોએ દરવાજો ખોલ્યો; અંદરની હાલત જોઈને

આગળનો લેખ
Show comments