Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના ઉમેદવારના હોબાળા બાદ ૨૫૬ ઈવીએમની પુનઃચકાસણી, ૧૧માં ટેકનિકલ ખામી

Webdunia
ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (15:09 IST)
વડોદરાની રાવપુરા બેઠક માટે ૨૫૬ ઈવીએમનો ઉપયોગ કરતાં પૂર્વે રાજકીય પક્ષોની પ્રતિનિધિઓની હાજરીમાં ચેકિંગ કરવા માટે ત્રણ દિવસનો સમય જિલ્લા ચૂંટણી અધિકારીએ આપ્યો હતો. જેમાં તા.૪ અને ૫ના રોજ કોઈ ગયા નહી અને આજે તા.૬ના રોજ કોંગ્રેસના પ્રતિનિધિઓ કારેલીબાગ ડી.ઇ.ઓ. કચેરી ખાતે પહોંચ્યા ત્યારે બે દિવસમાં કર્મચારીઓએ મનસ્વી રીતે ૧૫૦ ઈવીએમ ચકિંગ કરી નાખ્યા. આ અંગે કોંગ્રેસના પ્રતિનિધિ સાંઈ ઢેકાણેએ ઉગ્ર રજૂઆત કરતા હાજર રહેલા અધિકારીએ ૧૫૦નું ચેકિંગ થઈ ગયું છે.

તેમ જણાવી દેતાં હવે પચી બાકીની બીજાનું ચેકિંગ કરીશુંનું કહેતા કોંગ્રેસે પ્રતિનિધિએ રાવપુરા બેઠકનાં કોંગ્રેસી ઉમેદવાર ચંદ્રકાંત ભથ્થુનું ધ્યાન દોરતાં તેઓ જાતે સ્થળ પર પહોંચી જતાં કોંગ્રેસી કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આથી મામલો રિટર્નિગ ઓફિસર આર.પી. જોષી સુધી પહોંચતા તેમણે કોંગ્રેસની રજૂઆતને ગ્રાહય રાખી જે ૧૫૦ ઈવીએમની ચકાસણી કોંગ્રેસના પ્રતિનિધિઓની ગેરહાજરીમાં કરી દેવાઈ હતી. તેની ફરી ચકાસણી કરાવ્યાની સૂચના આપી છે. આથી કોંગ્રેસના પ્રતિનિધિઓ તેમજ ચૂંટણી વિભાગનાં ટેકનિકલ તજજ્ઞાોની હાજરીમાં ઈવીએમ મશીનોની ફરીથી ચકાસણી શરૃ કરાઈ હતી. જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહી હતી. ૨૧૦ ઈવીએમની ચકાસણી કરવામાં આવી જે પૈકી ૧૧ ઈવીએમમાં ટેકનિકલ ખામી જણાઈ આવતાં કોંગ્રેસ દ્વારા તે બદલી નવા મુકવા માંગણી કરાઈ હતી. જ્યારે બાકી રહેલા ૪૬ ઈવીએમની ચકાસણી આવતીકાલે કરવામાં આવશે તેમ જાણવા મળે છે. રિટર્નિગ ઓફિસરે ૧૧ ઈવીએમ બદલવાની ખાત્રી આપી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો તમને જેલમાં નાખવામાં આવે તો રાજીનામું ના આપો, સરકાર ચલાવો, CM અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

ઈન્દોરમાં એક્ટિવા પર સવાર બદમાશોએ કારમાં મહિલાની છેડતી કરી, પોલીસ તપાસમાં વ્યસ્ત

ઈન્દોરની હોટલમાં સૈનિકે બેંક કર્મચારીની પત્ની પર બળાત્કાર કર્યો, પ્રાઈવેટ પાર્ટમાં કાચનુ ગિલાસ નાખ્યો

ચાલતી ટ્રેનના ટોયલેટમાંથી અવાજો આવી રહ્યા હતા, મુસાફરોએ દરવાજો ખોલ્યો; અંદરની હાલત જોઈને

અરવિંદ કેજરીવાલ 2 દિવસ પછી સીએમ પદેથી રાજીનામું આપશે, હવે મનીષ સિસોદિયાને લઈને કરી મોટી જાહેરાત

આગળનો લેખ
Show comments