Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર નેતાઓ સાથેની મુલાકાત બાદ કોંગ્રેસ પ્રમુખ દિલ્હી દોડ્યા

Webdunia
શનિવાર, 13 મે 2017 (15:02 IST)
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર્સ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત થયા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો પ્રસરી ગયો છે. પાટીદારો સાથેની મુલાકાત કર્યા બાદ ભરતસિંહ સીધા દિલ્હી દોડી ગયાં હતાં. ભરતસિંહ સોલંકી એકલાં દિલ્હી જતાં અનેક તર્ક-વિતર્કો વહેતાં થયા છે.

દિલ્હી હાઇકમાન્ડ સાથેની બેઠકમાં પાટીદાર સમાજની રજૂઆતો અંગે ભરતસિંહ ચર્ચા કરશે. પાટીદારોની માંગણીઓ સાંભળ્યા બાદ આજે ભરતસિંહ સોલંકી કોંગ્રેસ હાઇકમાન્ડને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે. એવી પણ રાજકીય અટકળો ચાલી રહી છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પાટીદારોને વધુ મહત્વ આપવામાં આવી શકે છે. ભરતસિંહની હાઇકમાન્ડ સાથે ત્રીજી વખત બેઠક છે. એક ચર્ચા એવી પણ છે કે ભરતસિંહ અને પાટીદારોને લઇને કૉંગ્રેસમાં ખીચડી પાકી રહી છે. તો બીજી બાજુ હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે જે પાણી વગરના સીએમ રૂપાણી છે તેમની સાથે ગમે ત્યારે ગમે તેટલી વાર બેઠક કરવા તૈયાર છું. આ સાથે એવું પણ ચર્ચામાં છે કે રેશ્મા પટેલ અને હાર્દિક વચ્ચે ફરીવાર દરાર પડી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments