Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહનો સુરતનો પ્રવાસ પાંચ દિવસ પછી યોજાશે, છેલ્લી ઘડીએ મોકુફ રખાયો

Webdunia
મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (17:36 IST)
2 નવેમ્બરનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો સુરત પ્રવાસ પાંચ દિવસ પાછળ ઠેલાયો છે.આ પ્રવાસને છેલ્લી ઘડીએ મોકૂફ કરવામાં આવ્યો છે. હવે તેઓ 7 નવેમ્બરના દિવસે મંગળવારે સુરત આવી રહ્યા હોવાનું ભાજપના વર્તુળો જણાવી રહ્યા છે.  કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. ૩જી નવેમ્બરે સુરતમાં છે. તેમના એક દિવસ અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો સુરત પ્રવાસ ગોઠવાયો હતો. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે રાષ્ટ્રીય સ્તરના નેતાઓનો ઉપરાઉપરી સુરત પ્રવાસ નક્કી થતાં શહેરમાં રાજકીય સળવળાટ તેજ બન્યો છે.

આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો સુરત પ્રવાસ ગઈ કાલે મોડી સાંજે પડતો મુકાયો હોવાનું જાહેર થયું હતું. અમિત શાહ 2 નવેમ્બરના બદલે હવે 7 નવેમ્બરે સુરત આવી રહ્યા હોવાનું જાહેર કરાયું હતું. બે દિવસ બાદ યોજાનારો સંપૂર્ણ કાર્યક્રમ હવે 7 નવેમ્બરે આ જ શિડયુલ હેઠળ યોજવામાં આવશે. શાહ સુરતમાં ચૂંટાયેલા સભ્યો અને શહેર ભાજપના આગેવાનો સાથે મોટી સંકલન બેઠક યોજશે. આ ઉપરાંત વોર્ડ કક્ષાએ સંગઠનમાં કામ કરી રહેલા કાર્યકર્તાઓને પણ સંબોધન કરશે એવું ભાજપના વર્તુળોએ ઉમેર્યું હતું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments