Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબરમતી રિવર ફ્રંટ પર પહોંચ્યા મોદી.. સી પ્લેન દ્વારા જશે ધરોઈ ડેમ

Webdunia
મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (10:59 IST)
અમદાવાદમાં રોડ શો કેંસલ થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રચારની નવી રીતે પસંદ કરી છે. પીએમ મોદી સાબરમતી રિવર ફ્રંટ પહોંચી ચુક્યા છે. અહીથી સી પ્લેન દ્વારા તેઓ ઘરોઈ ડેમ જશે. ત્યારબાદ તેઓ ત્યા રોડ દ્વારા અંબાજી મંદિર જશે. 
 
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે પીએમ મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બંને અમદાવાદમાં રોડ શો ની મંજુરી માંગી હતી. બંને આજે જ રોડ શો કરવા માંગતા હતા પણ પોલીસે કોઈને પણ મંજુરી આપી નહોતી. 
 
અમદાવાદના પોલીસ કમિશ્નર અનૂપ કુમાર સિંહે આ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે બંને પાર્ટીઓનો રોડ શો ની મંજુરી આપવામાં આવી ન અથી. પોલીસની તરફથી સુરક્ષા અને કાયદો વ્યવસ્થાનો હવાલો આપતા કહેવામાં આવ્યુ હતુ કે આ નિર્ણય લોકોને પરેશાનીથી બચાવવા માટે કરવામાં આવ્યો છે. સમાચાર મુજબ પાટીદાર નેતા હાર્દિક પટેલને પણ રોડ શોની મંજુરી મળી નથી. 

પીએમ મોદી જે સી-પ્લેનમાં બેસશે, તેનું વજન અંદાજે 700 કિલો છે, જેમાં 6 સીટ છે. આ સી-પ્લેન 1100 કિલોનું વજન ઉંચકી શકે છે. એક તરફ વડાપ્રધાન મોદી અમદાવાદથી સીપ્લેનમાં સવારી કરશે, તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાઁધી જગન્નાથ મંદિરમાં દર્શન કરવા જશે. સવારે 10.30 કલાકની આસપાસ તેઓ મંદિર જશે.

પહેલીવાર સાબરમતી નદી પર સી-પ્લેન આવ્યું
દેશમાં આ પ્રકારના વિમાનમાં અત્યાર સુધીની આ પહેલી ઉડાન હશે. પીએમ મોદી તે સી-પ્લેનથી જ પરત આવશે. પીએમ મોદીએ રેલીમાં કહ્યુ હતું કે, દેશના ઈતિહાસમાં પહેલીવાર કોઈ સી-પ્લેન સાબરમતી નદી પર ઉતરશે. હું ધરોઈ ડેમમાં ઉતર્યા બાદ સી-પ્લેનથી અંબાજી જઈશ અને પરત આવીશ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments