Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
Shiva Ji maharaj - છત્રપતિ શિવાજી મહારાજ, જેને શિવાજી રાજે ભોસલે તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના મહાન યોદ્ધા, રાજકરરણ કારક અને શાસક હતા. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના પિતા શાહજી ભોંસલે બીજાપુરના દરબારમાં ઉચ્ચ અધિકારી હતા અને તેમની માતા જીજાબાઈ એક બહાદુર અને કુશળ યોદ્ધા હતી.
શિવાજી મહારાજનો ઇતિહાસ અદ્દભુત છે.
શિવાજીએ તેમના ગુરુના ચરણોમાં પાદુકા મૂકીને શાસન કર્યું અને તેમના ગુરુના નામ પર જ સિક્કા બનાવ્યા. શિવાજી મહારાજનું મૃત્યુ 1680માં થયું હતું.
શિવાજી ઉર્ફે છત્રપતિ
શિવાજી મહારાજ એક ભારતીય શાસક અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. શિવાજી મહારાજ બહાદુર, બુદ્ધિશાળી અને નિર્ભય શાસક હતા. તેમને ધાર્મિક પ્રથાઓમાં ખૂબ રસ હતો. તેઓ રામાયણ અને
મહાભારતનો ખૂબ જ ધ્યાનથી અભ્યાસ કરતા હતા.
શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630ના રોજ શિવનેરી કિલ્લામાં શાહજી ભોંસલેની પત્ની જીજાબાઈ (રાજમાતા જીજાઉ)ના ગર્ભમાંથી થયો હતો.
શિવનેરીનો કિલ્લો પુણેની ઉત્તરે જુન્નર શહેર પાસે હતો. તેમનું બાળપણ રાજા રામ, ગોપાલ, સંતો અને રામાયણ, મહાભારતની કથાઓ અને સત્સંગોમાં વીત્યું હતું. તેઓ તમામ કળાઓમાં નિષ્ણાત હતા, તેમણે
બાળપણમાં રાજકારણ અને યુદ્ધ શીખ્યા હતા.
શિવાજી એક કુશળ શાસક અને સક્ષમ સેનાપતિ હતા.તેમની ક્ષમતાના બળ પર શિવાજીએ મરાઠાઓને સંગઠિત કર્યા અને એક અલગ મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી.શિવાજીએ તેમની રાજકીય વ્યવસ્થા માટે 8 મંત્રીઓની નિમણૂક કરી. જેમાં પેશ્વા પદ સૌથી મહત્વનું હતું.મરાઠા રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત જમીન વેરો હતો.
મરાઠા પ્રણાલીના આઠ આચાર્યો
1.પેશવા (વડાપ્રધાન), 2.અમાત્ય (મજુમદાર), 3.મંત્રી, 4.સચિવ, 5.સુમંત, 6.સેનાપતિ, 7.પંડિત રાવ
8.જજ
Edited By-Monica sahu