Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતનું એક એવું ગામ જ્યાં એકસાથે સેંકડો પક્ષીઓ આત્મહત્યા કરે છે

જટીંગા આસામનું એક નાનકડું આદિવાસી ગામ
, ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (18:45 IST)
-સેંકડો પંંખીઓ  સામૂહિક આત્મહત્યા કરે છે. 
-આ સ્થાન માત્ર 2,500 લોકોની વસ્તી ધરાવે છે
-બધું જ અમાસની રાત્રે થાય છે
 
આ રહસ્યમય ગામમાં સેંકડો પંંખીઓ  સામૂહિક આત્મહત્યા કરે છે. જટીંગા આસામનું એક નાનકડું આદિવાસી ગામ છે, પરંતુ અહીં એક અનોખી ઘટના સામે આવી છે
 
આસામના જટીંગા રહસ્યમય ગામની વાર્તા કહેશે. તે સુંદર દ્રશ્યો સાથે શાંતિપૂર્ણ સ્થળ છે, પરંતુ તે ખૂબ જ વિચિત્ર કારણોસર જાણીતું છે. આ સ્થાન માત્ર 2,500 લોકોની વસ્તી ધરાવે છે અને વિશ્વભરમાં 'પક્ષીની આત્મહત્યા'ની ઘટના માટે જાણીતું છે.
 
જટીંગા આસામના ગુવાહાટીથી લગભગ 330 કિલોમીટર દક્ષિણમાં આવેલું છે. આ જગ્યા દર વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી હેડલાઇન્સમાં રહે છે. તેનું કારણ પક્ષીઓની સામૂહિક આત્મહત્યા છે. સૌથી નવાઈની વાત એ છે કે પક્ષીઓ સાંજે 6 થી 9:30 સુધી આવું કરે છે. આ કાર્યમાં માત્ર સ્થાનિક પક્ષીઓ જ નહીં પરંતુ અહીંના મોટાભાગના યાયાવર પક્ષીઓ પણ ભાગ લે છે.
 
અહેવાલો અનુસાર, સ્થાનિક અને સ્થળાંતર કરનારા પક્ષીઓની લગભગ 40 પ્રજાતિઓ આ આત્મહત્યાની દોડમાં સામેલ છે. આ કારણે જટીંગાને ઘણા લોકો પૃથ્વી પરના સૌથી ભયાનક સ્થળોમાંથી એક માને છે.
 
બધું જ અમાસની રાત્રે થાય છે
 
હિન્દુ ધર્મમાં અમાવસ્યાની રાત્રિને શુભ માનવામાં આવતી નથી. કહેવાય છે કે આ દિવસે દુષ્ટ શક્તિઓ ચરમ પર હોય છે. જટીંગા ગામમાં પણ મોટાભાગના પક્ષીઓ અમાવસ્યાની રાત્રે સેંકડોની સંખ્યામાં ભેગા થાય છે અને અહીં આત્મહત્યા કરે છે. કહેવાય છે કે અહીં પક્ષીઓ બે રીતે મૃત્યુ પામે છે. સૌપ્રથમ તો પક્ષીઓ પોતે આકાશમાંથી પડીને પોતાનો જીવ આપી દે છે. બીજું, અહીં રહેતા આદિવાસીઓ લાકડાના થાંભલાઓ સાથે ફાનસ બાંધીને ગામમાં લટકાવી દે છે અને અચાનક ઘણા પક્ષીઓ કીડા અને પતંગની જેમ ફાનસના પ્રકાશ તરફ આકર્ષાય છે અને તેમની સાથે અથડાયા બાદ પોતાનો જીવ આપી દે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ તમે દહીમાં મીઠુ નાખીને ખાવ છો ? તો જાણી લો અને જાતે જ નક્કી કરો કે દહી ક્યારે અને કેવી રીતે ખાવુ