Publish Date: Sun, 02 Feb 2025 (14:30 IST)
Updated Date: Sun, 02 Feb 2025 (14:31 IST)
Delhi Election 2025 - આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો શરૂ કરતા કહ્યું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં ભાજપે "ગુંડાગીરી" નો આશરો લીધો છે. કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે AAP 5 ફેબ્રુઆરીની ચૂંટણીમાં "નિર્ણાયક જીત" તરફ આગળ વધી રહી છે, જેના કારણે ભાજપના નેતાઓ, ખાસ કરીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ "આઘાત અને નિરાશ" છે.
ભાજપે ગુંડાગીરીનો આશરો લીધો છે- કેજરીવાલ
કેજરીવાલે કહ્યું, “આપ ચૂંટણીમાં જોરદાર જીત મેળવી રહી છે અને અમિત શાહ ચોંકી ગયા છે. ભાજપે ગુંડાગીરીનો આશરો લીધો છે કારણ કે તેને તેની હારનો અહેસાસ થઈ ગયો છે.'' તેમણે ભાજપના કાર્યકરો પર AAP કાર્યકર્તાઓ અને સમર્થકોને ધમકાવવા અને હુમલો કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, "અમારા નેતાઓ અને સમર્થકોને ધમકી આપવામાં આવી રહી છે કે કાં તો તેઓ ભાજપમાં જોડાઈ જશે અથવા તેમની ધરપકડ કરવામાં આવશે અને હુમલો કરવામાં આવશે, પરંતુ અમે આ વ્યૂહરચના સહન નહીં કરીએ."