Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીના દિવસે સાંજે કરો આ ઉપાય, આર્થિક સમસ્યા થશે દૂર

Webdunia
બુધવાર, 3 નવેમ્બર 2021 (08:26 IST)
દિવાળીના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
આ દિવસે બધા પોત પોતાના ઘરમાં મા લક્ષ્મીના આગમનની તૈયારીઓ કરે છે. કારણ કે માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી બધાના ઘરમાં આવે છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.
 
ટોટકા અને ઉપાયો માટે પણ આ દિવસ ખાસ માનવામાં આવે છે.
આ દિવસે તાંત્રિક ક્રિયાઓ કરી સિદ્ધિયો પ્રાપ્ત કરવામાં આવે છે.
તમે પણ દિવાળીના દિવસે કેટલાક ઉપાયો કરીને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો આવો જાણો એ ઉપાયો
 
 
1. આવક વધારવા માટે
 
જો તમે તમારી આવક વધારવા માંગો છો તો દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા ઉપરાંત આ ઉપાય કરો.
દિવાળીના દિવસે આખી અડદ, દહી અને સિંદૂર લઈને પીપળની જડમાં મુકો અને એક દીવો પ્રગટાવો.
 
 
2. ધન લાભ માટે કરો આ ઉપાય
 
દિવાળીના દિવસે સાંજે કોઈ વડના ઝાડની જટામાં ગાંઠ લગાવો. આવુ કરવાથી તમને ધન લાભ જરૂર થશે.
 
પણ ધ્યાન રાખો કે જ્યારે પણ તમને ધન લાભ થઈ જાય તો તમે આ ગાંઠ ખોલી નાખો.
 
 
3. ધન ખર્ચ થઈ જાય છે અને બચતુ નથી તો કરો આ ઉપાય
 
દિવાળીના દિવસે હત્થાજોડીમાં સિંદૂર લગાવો અને તેને ધન મુકવાના સ્થાન પર મુકી દો અને લક્ષ્મીજીને પ્રાર્થના કરો. તેનાથી તમારી આવક વધશે અને ધન સંચય થશે.
 
 
4. ધનમાં થશે વધારો
 
દિવાળીના દિવસે મા લક્ષ્મીની પૂજા સમય પૂજાની થાળીમાં ગોમતી ચક્ર મુકીંતે તેની પણ પૂજા કરો.
ગોમતી ચક્ર લક્ષ્મીનુ કારક માનવામાં આવે છે.
આ દિવસે ગોમતી ચક્રની પૂજા કરી તેને ઘરમાં મુકવાથી ધન વધે છે.
 
5. આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા
 
લક્ષ્મી પૂજાના દિવસે પીપળાના પાન પર દીવો પ્રગટાવીને પાણીમાં પ્રવાહિત કરવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે.
 
6. તિજોરીમાં ઉલ્લુની તસ્વીર
 
દિવાળીના દિવસે રાત્રે ઉલ્લુની તસ્વીર તિજોરી પર લગાવો. ઉલ્લુની તસ્વીર અહી રહેવાથી દેવી લક્ષ્મી હંમેશા તમારી તિજોરીમાં કાયમ રહેશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments